જમ્મુ-કાશ્મીરનાં રાજ્યપાલ સત્યપાલ મલિકે કહ્યું કે, છેલ્લાં 24 દિવસોમાં જમ્મુ-કાશ્મીરમાં એક પણ વ્યક્તિએ જીવ નથી ગુમાવ્યો, આ અમારી માટે એક ઉપલબ્ધિ છે. શ્રીનગરમાં એક પ્રેસ કોન્ફરન્સમાં રાજ્યપાલ સત્યપાલ મલિકે કહ્યું કે, અમારું મુખ્ય ફોકસ જમ્મુ-કાશ્મીરની કાયદાકીય વ્યવસ્થા છે અને તેમાં અમે સફળ રહ્યાં છીએ.
રાજ્યપાલે કહ્યું કે, 'અમારી માટે દરેક કાશ્મીરીનો જીવ મહત્વનો હોય છે. અમે એક પણ જીવને નુકસાન થાય એવું નથી ઇચ્છતા, કોઇ પણ નાગરિકનો જીવ ગયો નથી, કેટલાંક લોકો જે હિંસક થવા જઇ રહ્યાં હતાં તેઓ ઘાયલ થયાં છે અને તેમને પણ કમરની નીચેનાં ભાગમાં ઇજાઓ પહોંચી છે. આ સાથે તેમણે એવો પણ દાવો કર્યો કે જમ્મુ-કાશ્મીર પર કેન્દ્ર સરકાર મોટી જાહેરાત કરી શકે છે.
સત્યપાલ મલિકે રાજ્યમાં ઇન્ટરનેટ પ્રતિબંધ પર કહ્યું કે, 'ઇન્ટરનેટ આતંકવાદીઓ અને પાકિસ્તાનને માટે હથિયાર બની ગયું હતું. રાજ્યપાલ મલિકે કહ્યું કે, અમે કુપવાડા અને હંદવાડામાં મોબાઇલ ફોન સેવા ચાલુ કરવા જઇ રહ્યાં છીએ, જલ્દી અમે બીજા જિલ્લાઓમાં મોબાઇલ ફોન કનેક્ટિવિટી ચાલુ કરી દેવામાં આવશે.'
J&K Governor Satyapal Malik: Every Kashmiri life is valuable to us, we don't want loss of even a single life. There has been no civilian casualty, only the few who got violent are injured,they also have below the waist injuries. pic.twitter.com/JIFJcBfKyU
જમ્મુ-કાશ્મીરનાં રાજ્યપાલે બુધવારનાં રોજ રાજ્યનાં યુવાઓને માટે ભેટની જાહેરાત કરતા જણાવ્યું કે, તેઓ આજે જમ્મુ-કાશ્મીર પ્રશાસનમાં 50 હજાર નોકરીઓની જાહેરાત કરી રહ્યાં છીએ. રાજ્યપાલે જમ્મુ-કાશ્મીરનાં યુવાઓને અપીલ કરી કે તેઓ આ નોકરીઓની તૈયારીમાં પૂરી મહેનત સાથે જોડાઇ જાય. રાજ્યપાલે જણાવ્યું કે, આવનારા 2થી 3 મહીનાઓમાં આ જગ્યાઓ ભરી દેવામાં આવશે.
J&K Governor Satyapal Malik: We today announce 50,000 jobs in J&K administration, we will appeal to the youth to get involved with full vigour, in coming 2-3 months we will fill these positions pic.twitter.com/0xrWBwn2hA
વધુમાં તમને જણાવી દઇએ કે જમ્મુ અને કાશ્મીરથી કલમ 370 હટાવ્યાં બાદથી રાજ્યપાલ સત્યપાલ મલિકે ઘાટીની હાલત પર નજર બનાવી રાખી છે. તેઓ સતત અધિકારીઓ સાથે બેઠક કરી રહ્યાં છે. તાજેતરમાં જ તેઓએ અધિકારીઓને મોદી સરકારની યોજનાઓનો ફાયદો સામાન્ય જનતા સુધી પહોંચાડવાનો નિર્દેશ કર્યો.
તેમણે જણાવ્યું કે, કેન્દ્ર સરકાર દ્વારા ચલાવવામાં આવી રહેલી 85 યોજનાઓનો ફાયદો સીધો જમ્મુ, કાશ્મીર અને લદ્દાખનાં સામાન્ય લોકો સુધી 30 દિવસની અંદર પહોંચાડવામાં આવે. સત્યપાલ મલિકે જનતાનાં નામે સંદેશમાં કહ્યું કે, જમ્મુ-કાશ્મીરનાં ભાઇ-બહેનો માટે છેલ્લાં કેટલાંય સપ્તાહમાં અનેક મોટા નિર્ણય લેવામાં આવ્યાં છે. આ નિર્ણય જમ્મુ-કાશ્મીરનાં લોન્ગ ટર્મ ફાયદાને ધ્યાનમાં રાખીને લેવામાં આવ્યાં છે.