જમ્મુ-કાશ્મીરમાં સતત બીજા દિવસે ભારતીય સેના અને આતંકી વચ્ચે અથડામણ જોવા મળી છે. પ્રાપ્ત મળતી વિગત અનુસાર સુરક્ષાદળને પિંજોરોમાં આતંકીઓ છુપાયાં હોવાના ઇનપુટ મળ્યાં હતા. ત્યારેબાદ સેનાએ આજે સવારે સર્ચ ઓપરેશન હાથ ધર્યું છે. સેના હાથ ધરેલા સર્ચ ઓપરેશન બાદ અથડામણમાં ચાર આતંકીઓને ઠાર માર્યાં છે. હાલમાં સેના અને આતંકીઓ વચ્ચે અથડામણ ચાલુ છે.
જમ્મૂ-કાશ્મીરના શોપિયાંમાં પિંજોરામાં અથડામણ
ભારતીય સુરક્ષાદળોએ આ વિસ્તારને ઘેર્યું
સેનાએ 4 આતંકીઓને ઠાર માર્યાં
ભારતીય સેના દ્વારા સતત બીજા દિવસે જમ્મૂ-કાશ્મીરમાં સેના અને આતંકીઓ વચ્ચે અથડામણ જોવા મળી છે. સુરક્ષાબળોએ પિંજોરોમાં આતંકી છુપાયા હોવાની માહિતી મળતાં સર્ચ ઓપરેશન હાથ ધર્યું હતું. સેના દ્વારા કરવામાં આવેલી આ કાર્યવાહીમાં 4 આતંકીઓ ઠાર મરાયાં છે.
An encounter has started at Pinjora area of Shopian district. Police and security forces are carrying out the operation. Further details shall follow: Kashmir Zone Police #JammuAndKashmir (Visuals deferred by unspecified time) pic.twitter.com/qZMSytq6p4
આ અગાઉ ગઇકાલે શોપિયામાં જ ભારતીય સુરક્ષાદળોએ 5 આંતકીઓને ઠાર માર્યાં હતા. માર્યા ગયેલા બધા આતંકીઓ હિજબુલ મુજાહુદ્દીનના હતા. જેમાં હિજબુલનો ટોપ કમાંડર ફારક અહમદ ભટ ઉર્ફે નાલી પણ સામેલ હતો. કુલગામનો રહેવાસી ફારૂખ બે અઠવાડિયા પહેલા એક અથડામણમાં સુરક્ષાદળને ચકમો આપી ફરાર થઇ ગયો હતો.
ઉલ્લેખનીય છે કે જમ્મૂ-કાશ્મીરમાં સેના આતંકીઓને કાળ બની. જમ્મૂ-કાશ્મીરમાં આ વર્ષે અત્યાર સુધીમાં 101 આતંકીઓ ઠાર મરાયાં છે. જેમાં સેનાએ અનેક આતંકી ટોપ કમાન્ડરને ઠાર માર્યાં છે. ઉલ્લેખનીય છે કે સેનાએ છેલ્લા 24 કલાકમાં 9 આતંકીઓને ઠાર માર્યાં છે. જમ્મૂ-કાશ્મીરમાં ગત વર્ષે 163 આતંકી ઠાર કરાયાં હતાં.