પુલવામા આતંકી હુમલા બાદ જમ્મૂ-કાશ્મીરમાં સુરક્ષાદળોએ સર્ચ ઓપરેશન તેજ બનાવી દીધુંછે. ગુરૂવારના રોજ ઉત્તરી કાશ્મીરના બારામૂલા જિલ્લાના સોપોરના ગ્રામ વારપોરા ક્ષેત્રમાં કાસો (કોર્ડન એન્ડ સર્ચે ઓપરેશન) શરૂ કર્યું. આ દરમિયાન સુરક્ષાદળોને ફાયરિંગનો અવાજ આવ્યો હતો.
ત્યાર બાદ આ વિસ્તારને સેના દ્વારા ઘેરાવ કરવામાં આવ્યો. જો કે સેનાના ઘેરાવના કારણે આતંકીઓએ ફાયરિંગ શરૂ કરતા સેના-આતંકીઓ વચ્ચે અથડામણ શરૂ થઇ.
જો કે સેનાને મળેલી માહિતી મુજબ આ વિસ્તારમાં બે થી ત્રણ આતંકીઓ છુપાયા હોવાની આશંકા છે. જો કે એક અહેવાલ મુજબ ઘાટીમાં અંદાજે 60 આતંકીઓ એક્ટિવ છે જેમાં 35 પાકિસ્તાની છે. આ આતંકીઓ વિરુધ્ધ સેનાએ અભિયાન છેડ્યું છે.
આ અભિયાનનું નામ ઓપરેશન-60 રાખવામાં આવ્યું છે. આ અગાઉ સેનાએ ઓપરેશન-25 ચલાવ્યું હતું. જેના હેઠળ સુરક્ષાદળોએ આતંકી ગાઝી રાશિદને ઠાર માર્યો હતો.
ઉલ્લેખનીય છે કે સૌ પહેલા શોપિયામાં સેનાના કેમ્પની બહાર શંકાસ્પદ ગતિવિધી જોવા મળી હતી. ઉલ્લેખનીય છે કે પુલવામાં આતંકી હુમલા બાદા સેના દ્વારા જમ્મૂ-કાશ્મીરમાં ચેકિંગ અભિયાન ચલાવામાં આવી રહ્યું છે.