જમ્મુ-કાશ્મીરમાં આતંકીઓ અને સુરક્ષાદળો વચ્ચે અથડામણ ચાલુ છે. અત્યાર સુધી અથડામણમાં એક જવાન શહીદ થયો જ્યારે એક આતંકી પણ ઠાર થયો હોવાના સમાચાર છે. બાંદીપોરા જિલ્લાના પનારના જંગલોમાં આતંકીઓ અને સુરક્ષાદળોની વચ્ચે અથડામણ ચાલુ છે ત્યારે અથડામણમાં એક જવાન પણ શહીદ થયો છે.
જણાવી દઈએ કે પનારના જંગલોમાં સુરક્ષાદળોએ છેલ્લા 6 દિવસોથી સર્ચ ઓપરેશન ચલાવ્યુ છે. છેલ્લા 6 દિવસોમાં ઘણિવાર આતંકીઓ સાથે અથડામણ થઈ છે. એક ન્યૂઝ એજન્સી પ્રમાણે ગુરુવારે એક વાર ફરીથી સુરક્ષાદળો અને આતંકીઓ વચ્ચે અથડામણ થઈ છે.
ઉલ્લેખનીય છે કે ભારત-પાકિસ્તાન આંતરરાષ્ટ્રીય સરહદ પર bsfના જવાનો પર પાકિસ્તાની રેન્જર્સોએ ગોળીબાર કર્યો હતો. જેમાં bsfના સહાયક કમાન્ડન્ટ સહીત ચાર જવાનો શહીદ થયા હતા. જ્યારે ત્રણ અન્ય ઘાયલ થયા હતા.
સાંબા જિલ્લાના રામગઢ સેક્ટરના ચમલિયાલ બોર્ડરની નારાયણ પોસ્ટ પર આ ઘટના મંગળવારે મોડી રાત્રે થઈ હતી. bsfના જવાન આ ક્ષેત્રમાં બંકર બનાવવાના સામાનને લઈને જઈ રહ્યા હતા. ત્યારે પાકિસ્તાની રેન્જર્સે અશરફ પોસ્ટથી સ્નાઈપરથી ફાયર કર્યુ હતુ.
જેમાં ASI રામ નિવાસ ઘાયલ થયા હતા. રામ નિવાસને બચાવવા માટે જ્યારે સહાયક કમાન્ડન્ટ જતિન્દર સિંહ અન્ય ટીમની સાથે પહોંચ્યા તો પાકિસ્તાની રેન્જર્સોએ તેમને ઘેરી લીઘા હતા.
કહેવામાં આવે છે કે પાકિસ્તાની રેન્જર્સ ફેસિંગના એકદમ નજીક પહોંચી ચુક્યા હતા. તેમણે તાબડતોબ ગોળીબાર શરૂ કર્યો હતો. સાથે એન્ટી ગાઈડ મિસાઈલથી હમલો કર્યો હતો.
જેમાં કમાન્ડન્ટ સહીત સબ ઈન્સ્પેક્ટર રજનીશ કુમાર અને સિપાહી હંસ રાજ શહીદ થયા હતા. જ્યારે રામ નિવાસની હોસ્પીટલમાં સારવાર દરમ્યાન મોત નિપજ્યુ હતુ. BSFએ પણ પાકિસ્તાનને કરારો જવાબ આપ્યો હતો. BSF દ્વારા પાકિસ્તાનમાં આ મામલે વાંધો ઉઠાવ્યો છે. ફ્લેગ મીટિંગ થયા બાદ પણ આ પ્રકારની કાયરો જેવી હરકત સામે વાંધો ઉઠાવ્યો છે.