જમ્મૂ-કાશ્મીરના રાજકારણમાં ફરી ગરમાવો જોવા મળી રહ્યો છે. રાજ્યમાં પીડીપી-કોંગ્રેસ ગઠબંધનની સરકાર બનાવવાની કવાયત્ ફરી શરૂ થઇ છે. આ ગઠબંધનને નેશનલ કોન્ફરન્સ તરફથી સમર્થન મળે તેવી પણ શક્યતા છે.
આ અગાઉ પણ પીડીપી-કોંગ્રેસ દ્વારા 2002 અને 2007માં સરકાર બનાવી હતી. હાલની વિધાનસભાની બેઠકોને આંક જોઇએ તો પીડીપી પાસે 28 નેશનલ કોંગ્રેસ પાસે 15 તેમજ કોંગ્રેસ પાસે 11 ધારાસભ્યો છે.
જો ત્રણેય પક્ષ વચ્ચે ગઠબંધન થાય તો રાજ્યમાં બહુમતનો જાદુઇ આંકડો એટલે 44નું સંખ્યાબળ આસાનીથી પ્રાપ્ત થઇ શકે છે. જ્યારે ભાજપ પાસે 25 ધારાસભ્યો છે.
જો કે નેશનલ કોંગ્રેસના સૂત્રો દ્વારા મળતી માહિતી મુજબ પાર્ટી ગઠબંધનમાં સામેલ થશે નહીં પરંતુ પીડીપી-કોંગ્રેસને બહારથી સમર્થન આપશે.
જો આ ગઠબંધનની સરકાર બનશે તો મહબૂબાને છોડીને પીડીપીના કોઇ વરિષ્ઠ નેતા સરકારનું નેતૃત્વ કરી શકે છે. જો રાજકીય કટ્ટર હરિફ એવા પીડીપી અને નેશનલ કોંગ્રેસ જો એક મંચ પર આવે છે તો રાજકીય રીતે તે ઘણુ મહત્વનું માનવામાં આવી રહ્યું છે.
2014માં જ્યારે કોઇપણ પાર્ટીને સરકાર બનાવવાનો જાદૂઇ આકંડો પાર થતો નથી નહોતો ત્યારે નેશનલ કોંગ્રેસ દ્વારા પીડીપીને સમર્થન આપવાની રજૂઆત કરી હતી પરંતુ પીડીપીએ તેને નામંજૂર કરતાં ભાજપ સાથે સરકાર બનાવી હતી.
જો કે 20 જૂલાઇ 2018માં ગઠબંધન સરકાર પડી ગયા બાદ પીપૂલ્સ કોન્ફેરન્સના એક નેતાએ પીડીપીના નારાજ નેતાઓને સાથે રાખા ભાજપા સાથે ગઠબંધન માટે સંપર્ક કર્યો હતો.