જમ્મુ કાશ્મીરમાં આવેલા પવિત્ર અમરનાથ ગુફા નજીક આજે મૂશળધાર વરસાદના કારણે અસંખ્ય શ્રદ્ધાળુઓ ફસાઈ ગયા છે અને આ દુર્ઘટનામાં 15 લોકોના મોત પણ થયા છે. હાલમાં રાહત અને બચાવ કાર્ય માટે સેનાએ મોર્ચો સંભાળી લીધો છે.
જમ્મુ કાશ્મીરમાં અનરાધાર વરસાદ
અમરનાથ ગુફા પાસે આભ ફાટ્યું
અત્યાર સુધીમાં 15 લોકોના થયા મોત
જમ્મુ કાશ્મીરમાં આભ ફાટ્યું હોવાના સમાચાર મળી રહ્યા છે. વાદળ અમરનાથ ગુફાની પાસે ફાટ્યું છે. તેમાં કેટલાય લોકોના મોત થયા હોવાની વિગતો આવી છે. અત્યાર સુધીમાં 15 લોકોના મોત તથા 35 જેટલા લોકો ગુમ થયા હોવાનું કહેવાય છે. આ વિગતો NDRF તરફથી મળી રહી છે. એવું કહેવાય છે કે, આ દુર્ઘટના અમરનાથ ગુફાથી માત્ર દોઢ કિમી દૂર ઘટી છે. અહીં લગભગ 10થી 12 હજાર શ્રદ્ધાળુઓ રોકાયા હોવાનું પણ કહેવાય છે. જો કે, હાલમાં ત્યાં રાહત અને બચાવ કાર્ય ચાલું છે, ઉપરાંત આગામી નવો આદેશ ન મળે ત્યાં સુધી આ યાત્રા પર હાલ રોક લગાવી છે અને એરફોર્સ તથા સેનાના જવાનોએ મોર્ચો સંભાળી લીધો છે.
હેલ્પલાઈન નંબર જાહેર કર્યો
વાદળ ફાટવાની ઘટના બાદ વરસાદથી સમગ્ર વિસ્તારમાં પાણી ભરાઈ ગયા છે અને અહીં શ્રદ્ધાળુઓ ખૂબ જ મુશ્કેલીનો સામનો કરી રહ્યા છે. વાદળ ફાટ્યા બાદ કેટલાય લોકો ગુમ છે. પાણીના ઝડપી વહેણના કારણે તબાહીના દ્રશ્યો પણ સામે આવ્યા છે. અમરનાથ શ્રાઈન બોર્ડ અને એનડીઆરએફ તરફથી હેલ્પલાઈન નંબર પણ જાહેર કરવામાં આવ્યા છે.
Emergency helpline numbers are active in view of the cloudburst that happened today in the lower reaches of the Amarnath cave in J&K
અમરનાથમાં આભ ફાટવાની ઘટના પર પ્રધાનમંત્રી મોદીએ દુ: ખ વ્યક્ત કર્યું છે. તેમણે કહ્યું છે કે, વાદળ ફાટવાની ઘટનાથી વ્યથિત છું, શોક સંતપ્ત પરિવારો પ્રત્યે મારી સંવેદના. તેની સાથે જ તેમણે ક્યું કે, આ ઘટના પર જમ્મુ કાશ્મીરના ઉપરાજ્યપાલ મનોજ સિન્હા સાથએ ફોન પર વાત કરી અને સ્થિતિનો તાગ મેળવ્યો છે. હાલમાં બચાવ કાર્ય ચાલુ છે.
PM Modi condoles loss of life in Amarnath cloudburst
સોનિયા ગાંધીએ અમરનાથ દુર્ઘટના પર દુ:ખ વ્યક્ત કર્યું
કોંગ્રેસના અધ્યક્ષ સોનિયા ગાંધીએ અમરનાથ ગુફામાં વાદળ ફાટવાની ઘટના પર પીડિત પરિવારો પ્રત્યે સંવેદના વ્યક્ત કરી છે. તેમણે કહ્યું છે કે, હું અમરનાથની પવિત્ર ગુફા મંદિર પાસે વાદળ ફાટવાની ઘટનામાં શ્રદ્ધાળુઓના મોતથી દુ:ખી છું.
Congress interim president Sonia Gandhi extends condolences to bereaved families over the Amarnath cave cloudburst incident, saying, "I was very distressed to learn about the tragic death of number of pilgrims on account of cloudburst near the holy cave shrine of Amarnath in J&K" pic.twitter.com/708zFuS9JA
અમરનાથ ગુફાથી લગભગ 2 કિમી દૂર આ ઘટના ઘટતા પ્રશાસને રાહત અને બચાવ કાર્ય શરૂ કરી દીધું છે. સાથે આ અમરનાથ યાત્રાને રોકી દેવામાં આવી છે. જ્યાં હજારોની સંખ્યામાં શ્રદ્ધાળુઓ હાજર છે.
#WATCH | J&K: Visuals from lower reaches of Amarnath cave where a cloud burst was reported at around 5.30 pm. Rescue operation underway by NDRF, SDRF & other associated agencies. Further details awaited: Joint Police Control Room, Pahalgam
આભ ફાટ્યા બાદ પાણીનો પ્રવાહ ટેંટ સુધી પહોંચી ગયો હતો. જે બાદ શ્રદ્ધાળુઓની વચ્ચે હાહાકાર મચી ગયો હતો. તેની ચપેટમાં કેટલાય લોકો આવી ગયા હતા. એનડીઆરએફની ટીમ પણ નજર રાખી રહી છે કે લોકો તણાઈ ગયા નથી ને ! બાલટાલના રસ્તા પર ટીમ લગાવી દેવામાં આવી છે. આઈટીબીપી અને એનડીઆરએફની એક ટીમ પણ ત્યાં લગાવામાં આવી છે.
નદીનું સ્તર આગળની તરફ વધી રહ્યું છે. તેના પર નજર રાખવામાં આવી રહી છે. આવનારા સમયમાં શ્રાઈન બોર્ડ તરફથી હેલ્પલાઈન નંબર પણ જાહેર કરવામાં આવશે. જેમના પરિવારના લોકો ત્યાં ફસાયા છે, તે આ નંબર પરથી જાણકારી મેળવી શકશે.
#WATCH | Mountain Rescue Team (MRT) rescue work under progress after a cloud burst occurred in the lower reaches of the Amarnath Cave
NDRFના ડીજી અતુલ ગઢવાલના જણાવ્યા અનુસાર વાદળ ફાટવાની સૂચના મળી છે. એક ટીમ પવિત્ર ગુફા પાસે છે. અમે અમારી ટીમને ત્યાં રવાના કરી દીધી છે. તેમણે કહ્યું કે, હજૂ સુધી કંન્ફર્મ નથી થયું કે કેટલા લોકોના મોત થયા છે. કુલ કેટલા લોકો હાજર છે, એ પણ નિશ્ચિત નથી.
#WATCH | J&K: Visuals from lower reaches of Amarnath cave where a cloud burst was reported. Rescue operation underway by NDRF, SDRF & other agencies
રેસ્ક્યૂ ઓપરેશનને લઈને પડકાર એટલા માટે છે કે, હવામાન ખરાબ છે. ત્યાં ભૌગોલિક સ્થિતિ અને ઉંચાઈ હોવાથી, પણ આપણા જવાનો ખૂબ જ ચપળ અને ટ્રેનિંગ લીધેલા છે, તેથી તેમને કોઈ સમસ્યા નહીં આવે.
રેસ્ક્યૂ બાદ લોકોને ક્યાં લઈ જવામાં આવશે, તેના જવાબમાં તેમણે કહ્યું કે, ઘણા બધા કેમ્પ છે. રેસ્ક્યૂ બાદ લોકોને ત્યાં લઈ જવામાં આવશે. પેરામિલિટ્રીના જવાનો પણ છે. ત્યાં હેલીપેડ પણ છે. ઘાયલોને ત્યાં મોકલવામાં આવશે. ખરાબ હવામાનના કારણે ઘાયલોને સુરક્ષિત અવરજવર માટે જમ્મુ કાશ્મીર પોલીસ પણ રહે છે. બીએસએફ, સીઆરપીની મેડિકલ ટીમ પણ ત્યાં હાજર છે.