જમ્મુ કાશ્મીરના કુલગામમાં ભાજપના કાર્યકર્તાઓની હત્યા પર પાર્ટીએ ભારે આક્રોશ વ્યક્ત કર્યો છે. એક દિવસ પછી કાર્યકર્તાઓના મોત પર દુઃખ વ્યક્ત કરતા પાર્ટીના પ્રદેશ અધ્યક્ષ રવિંદન રૈનાએ કહ્યું કે પાકિસ્તાનને પોતાના પાપોની ભારે કિંમત ચૂકવવી પડશે. તેમણે કહ્યું કે એક એકને શોધી શોધીને મારીશું.
ભાજપ માતા માટે તેમનું બલીદાન બેકાર નહીં જવા દે
કાયર પાકિસ્તાનને પોતાના પાપોની ભારે કિંમત ચૂકવવી પડશે
એક એક અપરાધીઓને મોતના ઘાટે ઉતારીશું
રૈનાએ કહ્યું કે તે(મૃતક) બહાદુર ભાજપના કાર્યક્તાઓ હતા. ભાજપ માતા માટે તેમનું બલીદાન બેકાર નહીં જવા દે. કાયર પાકિસ્તાનને પોતાના પાપોની ભારે કિંમત ચૂકવવી પડશે. એક એક અપરાધીઓને મોતના ઘાટે ઉતારીશું.
They were brave workers of BJP. They attained martyrdom for Bharat Mata & their sacrifice won't go in vain. Coward Pakistanis will have to pay heavy price for their sins, each one of them will be neutralised: J&K BJP Chief Ravinder Raina on killing of 3 BJP workers in Kulgam. pic.twitter.com/G11nPzDrrW
ઉલ્લેખનીય છે કે ગુરુવારે ભાજપના 3 કાર્યકર્તાઓની કાશ્મીરમાં હત્યા કરવામાં આવી હતી. મૃતક કાર્યકર્તાઓની ઓળખ ફિદા હુસૈન યાતૂ, ઉમર રાશિદ બેગ અને ઉમર રમજાન હજામના રુપે થઈ છે. ભાજપ ઉપરાંત પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આ ઘટનામાં મોટી નિંદા કરી છે. કાર્યકર્તાઓની હત્યા કરવાની જવાબદારી ધ રેજિસ્ટેન્સ ફ્રન્ટએ લીધી છે.
ઉલ્લેખનીય છે કે ભાજપના યુવા મોર્ચાના મહાસચિવ ફિદા હુસૈન પોતાના 2 સાથીઓ ઉમર રમજાન અને હારુન બેગ સાથે ઘરની તરફ જઈ રહ્યા હતા. રસ્તામાં વાઈકે પોરા વિસ્તારમાં ઘાત લગાવીને બેઠેલા આતંકીઓએ તેમનીકાર પર ગોળીબાર કર્યો હતો. હુમલાખોરો ફરાર થઈ ગયા હતા. રસ્તા પર હાજર પોલીસ ભાજપના નેતાઓને હોસ્પિટલ લઈ ગઈ હતી. ત્રણેયનું સારવાર દરમિયાન મોત થયું હતું. પોલીસ અને સેનાએ સાથે મળી એક એક ઘરની તલાસી લીધી હતી.
મનાઈ રહ્યું છે કે આતંકી વાહન સવાર થઈ આવ્યા હતા. આ પહેલા પણ ઘાટીમાં અનેક ભાજપના નેતાઓ પર હુમલો કરી મોતને ઘાટ ઉતારવામાં આવ્યા છે. આ ડરથી અનેક ભાજપના પદાધિકારીઓ પોતાના પદ પરતી રાજીનામું આપી ચૂક્યા છે.