જમ્મુ કાશ્મીરમાં મોટો આતંકી હુમલો થયો છે. શ્રીનગરમાં સેનાની બસ પર આતંકીઓ હુમલો કરતા 2 જવાન શહીદ થયા છે તથા ઘણા ઘાયલ છે.
જમ્મુ કાશ્મીરમાં મોટો આતંકી હુમલો
શ્રીનગરમાં સેનાની બસને નિશાન બનાવી આતંકીઓએ
અત્યાર સુધી 2 જવાન શહીદ
જવાનોની બસ પર કર્યો અંધાધૂંધ ગોળીબાર
ગોળીબારમાં 14 જવાન ઘાયલ, 5ની સ્થિતિ ગંભીર
જમ્મુ કાશ્મીરમાં આતંકીઓ આતંક ફેલાવવાની એક પણ તક છોડતા નથી. પ્રધાનમંત્રી મોદીની કાશી મુલાકાત વખતે જ શ્રીનગરમાં એક મોટો આતંકી હુમલો થયો હતો. શ્રીનગરના પંથચોક વિસ્તારમાં સુરક્ષાકર્મીઓથી ભરેલી બસ પર આતંકીઓએ અંધાધૂધ ગોળીબાર કર્યો હતો. આતંકીઓના ગોળીબારમાં સેનાના 2 જવાન શહીદ થયા છે તથા ઘણા જવાનો ઘાયલ થયા છે. હાલ સેનાએ સમગ્ર વિસ્તારને ઘેરી લીધો છે.
Militants open fire on police bus in Zewan area on outskirts of Srinagar city; several policemen injured: Officials
જેવનમાંથી જ્યારે જમ્મુ કાશ્મીરની 9મી બટાલિયનથી ભરેલી બસ પસાર થઈ રહી હતી ત્યારે અચાનક આતંકીઓએ હુમલો કરી દીધો જેમાં 10 જવાનો ઘાયલ થયા હતા તથા 3ની હાલત ગંભીર હોવાનું જણાવાઈ રહ્યું હતું.
Terrorists fired upon a police vehicle near Zewan in Pantha Chowk area of Srinagar. 14 personnel injured in the attack. All the injured personnel evacuated to hospital. Area cordoned off. Further details shall follow: Kashmir Zone Police
તાજેતરની માહિતી મુજબ તમામ ઇજાગ્રસ્તોને સારવાર માટે નજીકની હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. સુરક્ષા દળોએ સમગ્ર વિસ્તારને ઘેરી લીધો છે અને સર્ચ ઓપરેશન શરૂ કર્યું છે.આ પહેલા શ્રીનગરના રંગરેથ વિસ્તારમાં થયેલા એન્કાઉન્ટરમાં સુરક્ષા દળોએ બે આતંકીઓને મારી નાખ્યા હતા. સુરક્ષા દળોને માહિતી મળી હતી કે શ્રીનગરના રંગરેથમાં આતંકવાદીઓ છુપાયા છે આ પછી સર્ચ ઓપરેશન કરવામાં આવ્યું હતું જ્યાં આતંકવાદીઓએ પોતાને ઘેરાયેલા જોયા પછી સુરક્ષા દળો પર ગોળીબાર કર્યો હતો અને જવાબમાં આતંકવાદીઓ માર્યા ગયા હતા.