કલમ 370 હટાવ્યા પછી જમ્મુ-કાશ્મીરમાં સ્થિતિ સામાન્ય થઈ રહી છે અને વહીવટીતંત્ર શક્ય તેટલું વહેલી તકે લોકોના જીવનને પાટા પર લાવવાનો પ્રયાસ કરી રહ્યું છે. પરંતુ કેટલાક અસામાજિક તત્વોને આ વાત મંજૂર નથી અને તેઓ ઘાટીની પરિસ્થિતિને બગાડવાના કાવતરા ઘડવા લાગ્યા છે. સોશિયલ મીડિયા પર અફવા ફેલાતાં વહીવટી તંત્રએ ફરી મોબાઇલ અને ઇન્ટરનેટ સેવા બંધ કરી દીધી છે.
ઘાટીની પરિસ્થિતિને ડહોળવાનો કરવામાં આવી શકે છે પ્રયાસ
દરમિયાન, ઘાટીની પરિસ્થિતિને બગાડવા અને આતંકવાદીઓની ઘૂસણખોરી વધારવા માટે પાકિસ્તાન દ્વારા બોર્ડર પર સતત યુદ્ધવિરામનો ભંગ કરવામાં આવી રહ્યો છે. સેનાને આશંકા છે કે આ ગોળીબાર પાકિસ્તાન દ્વારા આતંકવાદીઓની ઘૂસણખોરી કરવા માટે કરવામાં આવી રહ્યો છે.
પાક દ્વારા એલઓસી સતત કરાઇ રહ્યું છે સીઝ ફાયર
આર્ટિકલ 370 પર પાકિસ્તાનનું ઘાટીને ભડકાવવાનું કાવતરું અસફળ રહેતા હવે તેઓ એલઓસી(LOC) પર ફાયરિંગ કરી રહ્યા છે. એલઓસીના 700 કિ.મી. વિસ્તારમાં પાકિસ્તાનની આ હરકત સ્પષ્ટ રીતે નજરે ચઢી છે.
ગુલગર્મના જંગલમાં ગોઠવાઇ ફોજ
કાશ્મીરમાં શાંતિ જોઇને પાકિસ્તાનની ઉંઘ હરામ થઇ ગઇ છે, ત્યારબાદ પાકિસ્તાની સેના પરિસ્થિતિને બગાડવા માટે આતંકવાદીઓની ઘુસણખોરી કરાવવાનો પ્રયાસ કરી રહી છે. ઘુસણખોરીની દ્રષ્ટિએ ગુલમર્ગનું ગાઢ જંગલ આતંકીઓ માટે હંમેશાં પ્રથમ પસંદગીનો માર્ગ રહ્યું છે. આ જ કારણે ગુલગર્મમાં સેનાએ સૈનિકોની મોટી ફોજ ગોઠવી દીધી છે. ગાઢ જંગલનો કોઈ ખૂણો સર્વેલન્સની બહાર નથી.
POK પર જ થશે સીધા વાતચીત
જમીન પર સેના તો દિલ્હીમાં સરકાર દરેક પાકિસ્તાની કાવતરાનો જવાબ આપવા તૈયાર છે. સંરક્ષણ પ્રધાન રાજનાથસિંહે પાકિસ્તાનને લલકારીને કહ્યું છે કે, હવે પાકિસ્તાન સાથે જે પણ વાત થશે તે ફક્ત પાકિસ્તાન અધિકૃત કાશ્મીર પર હશે.
Rajnath Singh in Panchkula,Haryana: Article 370 was abrogated in J&K for its development.Our neighbour is knocking doors of intl. community saying India made a mistake.Talks with Pak will be held only if it stops supporting terror. If talks are held with Pak it will now be on PoK pic.twitter.com/HBm7EIeezL
બીજી તરફ શ્રીનગરમાં સ્થિતિ ઝડપથી સામાન્ય બની રહી છે. જમ્મુ-કાશ્મીરની 190 શાળાઓ સોમવારે ફરી ખુલશે. જો કે, અફવાઓને ધ્યાનમાં રાખીને વહીવટીતંત્રએ જમ્મુમાં ઇન્ટરનેટ સેવા પુન:સ્થાપિત કરવાના આદેશને પાછો ખેંચી લીધો છે. જમ્મુ, સામ્બા, કઠુઆ, ઉધમપુર અને રિયાસીમાં મોબાઈલ અને ઇન્ટરનેટ સેવાઓ બંધ કરી દેવામાં આવી છે.