સંસદની કાર્યવાહીમાં આજે જમ્મુ કાશ્મીરનો મુદ્દો ગરમાયો હતો. ગૃહ મંત્રી અમિત શાહે રાજ્યસભામાં જમ્મુ કાશ્મીરમાંથી કલમ 370 હટાવવા સંબંધી સંકલ્પની સાથે રાજ્યના પુનર્ગઠન બિલ અને આરક્ષણ સંશોધન બિલ રજૂ કર્યું જેને સદનમાં મંજૂરી મળી ગઇ છે. પુનર્ગઠન બિલ પર થયેલ મતદાનના પક્ષમાં 125 અને વિપક્ષમાં 61 મત પડ્યા. આ વિષય પર દિવસભર વિપક્ષે ભારે હોબાળો પણ કર્યો. હવે લોકસભામાં મંગળવારે આ બિલ અને સંકલ્પ પર ચર્ચા થશે.
એકી સાથે જમ્મૂ કાશ્મીરના ઐતિહાસિક નિર્ણયો બાદ રાજ્યસભામાં અમિત શાહે સંબોધન કર્યું હતું અને અગાઉની સરકારો પર પ્રહાર કર્યા હતા. અમિત શાહે જણાવ્યું કે, શા માટે 370 હટાવવી જરૂરી હતી. શા માટે આ નિર્ણય કરવામાં આવ્યો છે. તેમણે જણાવ્યું કે, પાકિસ્તાનમાંથી ભાગલા સમયે ભારતમાં વસેલા લોકોને વડાપ્રધાન બનવા સુધીની તક મળી છે. જ્યારે જે લોકો કાશ્મીરમાં વસ્યા છે તેમને કાઉન્સીલર બનવાનો પણ અધિકાર નથી મળ્યો.
રાજ્ય પુનર્ગઠન બિલ પર મંગળવારે ચર્ચા, સદનની કાર્યવાહી 11 વાગ્યા સુધી સ્થગિત
નોંધનીય છે કે, સદનમાં મંગળવારે જમ્મુ કાશ્મીરના રાજ્ય પુનર્ગઠન બિલ પર ચર્ચા કરવામાં આવશે. આ સાથે જ મંગળવારે સવારે 11 વાગ્યા સુધી સદનની કાર્યવાહી સ્થગિત કરવામાં આવી હતી.
રાજ્યસભામાં જમ્મુ કાશ્મીર રાજ્ય પુનર્ગઠન બિલ પાસ
રાજ્યસભામાં જમ્મુ કાશ્મીર પુનર્ગઠન બિલ પાસ કરવામાં આવ્યું છે. બિલના પક્ષમાં 125 મત અને 61 મત વિપક્ષમાં પડ્યા છે જ્યારે એક સભ્ય ગેરહાજર રહ્યા. આ બિલમાં જમ્મુ કાશ્મીરથી લદ્દાખને અલગ કરવા અને બન્નેને કેન્દ્ર શાસિત પ્રદેશનો દરજ્જો આપવાનું પ્રાવધાન સામેલ છે.
કોર્ટમાં બિલને કંઇ નહીં થાયઃ અમિત શાહ
અમિત શાહે કહ્યું કે જમ્મુ કાશ્મીરની દીકરીએ ઓડિસાવાદીથી લગ્ન કરી દીધા તો શું તેને અને તેમના બાળકો ત્યાં કોઇ અધિકાર મળવાનો છે. તેમણે કહ્યું કે, ઓબીસીને અનામત નથી મળતું, દલિતો, આદિવાસીઓને રાજકીય અનામત નથી મળતું, એજ કારણ છે કે માયાવતીજીની પાર્ટીએ આ બિલનું સમર્થન કર્યું છે. ગૃહ મંત્રીએ કહ્યું કે કેટલીક પાર્ટી એનજીઓ બ્રિગેડથી આ બિલને કોર્ટમાં પડકાર આપીશું, પરંતુ કોઇ પણ લીગલ તપાસથી આ બિલને કંઇ નથી થવાનું.
રાજ્યસભામાં જમ્મુ કાશ્મીર રિઝર્વેશન બિલ પાસ
રાજ્યસભામાં જમ્મુ કાશ્મીર અનામત બિલ ધ્વનિમતથી પાસ કરવામાં આવ્યું છે. અમિત શાહ તરફથી લેવામાં આવેલ સંકલ્પ પર સદનમાં મત લેવામાં આવ્યો. કોંગ્રેસના પી ચિદંબરમે અમિત શાહને કહ્યું કે તમે કાશ્મીરને કેન્દ્ર શાસિત પ્રદેશ શા માટે બનાવી રહ્યા છો. કોંગ્રેસના ગુલામ નબી આઝાદે કહ્યું કે અમે આંધ્રપ્રદેશ અને તેલંગાણા બનાવતા સમયે એક વર્ષ સુધી 20થી વધુ બેઠક કરી અને સહમતિ બાદ નિર્ણય લેવાયો હતો.
કાશ્મીર કાયમી માટે કેન્દ્ર શાસિત પ્રદેશ નહીં રહેઃ અમિત શાહ
અમિત શાહે કહ્યું કે કાશ્મીરને હંમેશા માટે કેન્દ્ર શાસિત પ્રદેશ નહીં રાખવામાં આવે, સામાન્ય સ્થિતિ બાદ તેને પૂર્ણ રાજ્યનો દરજ્જો આપવામાં આવશે. અમે કાશ્મીરને દેશનું સૌથી વિકસિત રાજ્ય બનાવીશું. કાશ્મીરને સામાન્ય બનાવવા માટે સરકારની મદદ કરો અને સૌ મળીને કામ કરો. અમિત શાહે કહ્યું કે, અમારી સાથે ન રહેનારા દળોએ પણ આજે બિલ પર અમારો સાથ આપ્યો છે. સદને એક થઇને આ બિલ અને સંકલ્પનું સમર્થન કરવું જોઇએ.
યુવાઓમાં 370એ પેદા કર્યું અલગાવવાદઃ અમિત શાહ
અમિત શાહે કહ્યું કે, જમ્મુ કાશ્મીરમાં આતંકવાદ જન્મ્યો, ઉછર્યો અને હવે નીચે આવી રહ્યો છે. કલમ 370એ ત્યાંના યુવાનોમાં અલગાવવાદની ભાવના ઉપજાવી જેનો પાકિસ્તાને ફાયદો ઉઠાવ્યો. અત્યાર સુધીમાં 41 હજાર લોકો માર્યા ગયા. કોની નીતિના કારણે 41 હજાર લોકો માર્યા ગયા, અમે કોઇ નીતિ નથી બદલી, નેહરજી જે ચાલુ કરીને ગયા હતા, ત્યાં ચાલતી રહી. અમિત શાહે કહ્યું કે, રાજસ્થાન, ગુજરાતના યુવાને કેમ ગુમરાહ નથી થતા માત્ર કાશ્મીરના કેમ થાય છે કારણ કે ત્યાં 370થી ઉપજેલ અલગાવવાદ નથી. હુર્રિયત, ઘુષણખોર, આઇએસઆઇએ કાશ્મીરના યુવાનોને ગુમરાહ કર્યા છે ત્યારે આટલા લોકોનો જીવ ગયો છે.
સરપંચોના અધિકાર 70 વર્ષ સુધી ન મળ્યાઃ ગૃહ મંત્રી
અમિત શાહે કહ્યું કે, 370ના કારણે કેટલાક સંવિધાન સંશોધન ત્યાં આજસુધી લાગૂ નથી થઇ શક્યું. પંચાયત અને નગરપાલિકાની ચૂંટણી ત્યાં નહોતી થતી. તેમણે કહ્યું કે, 40 હજાર સુધી સરપંચોના અધિકાર 70 વર્ષ સુધી અળગા રાખ્યા તેનું જવાબદાર કોણ છે. તેમણે કહ્યું કે, આ અધિકાર ક્યાં નથી મળ્યા, આના પર કોઇ નહીં બોલે. ઘાટીમાં માત્ર મુસ્લિમ રહે છું શું, કલમ 370 સારી છે તો તમામ માટે અને ખરાબ છે તો તમામ માટે છે. ત્રણ પરિવારોએ જમ્મુ કાશ્મીરમાં લોકતંત્રને ફરકવા ન દીધું, પરંતુ રાષ્ટ્રપતિ શાસનમાં ત્યાં શાંતિપૂર્ણ ચૂંટણી થઇ છે. અમિત શાહે કહ્યું કે, પંચાયત ચૂંટણીમાં 50 ટકાથી વધુ મતદાન થયું છે અને ત્યાંની જનતા લોકતંત્ર ચાહે છે.