પાકિસ્તાને અયોગ્ય કબ્જામાં સામેલ ભાગ પણ ભારતનો ભાગ છે
જમ્મુ કાશ્મીર અને લદ્દાખ ભારતનો ભાગ
અમેરિકાના ત્રણ દિવસીય પ્રવાસના અંતિમ દિવસે પીએમ મોદી સંયુક્ત રાષ્ટ્ર મહાસભાને સંબોધિત કરશે. આની પહેલા ભારતે પાકિસ્તાનના પીએમ ઈમરાન ખાન તરફથી કાશ્મીરને લઈને કરેલા એક નિવેદનનો જવાબ આપ્યો. ભારતે શનિવારે સ્પષ્ટ કરી દીધું છે કે જમ્મુ કાશ્મીર અને લદ્દાખ ભારતનો ભાગ છે. સાથે જ ભારતે એકવાર ફરી પાકિસ્તાનના આતંકવાદ સમર્થક હોવાની વાત ઉઠાવી છે.
ભારતે કહ્યું કે આતંકવાદીઓને શરણ આપવી, મદદ કરવી અને સમર્થન કરવું પાકિસ્તાનના ઈતિહાસ અને નીતિઓમાં સામેલ છે. એ વાત પર ભાર મુક્યો છે કે પાકિસ્તાને અયોગ્ય કબ્જામાં સામેલ ભાગ પણ ભારતનો ભાગ છે. ભારતે યૂએનમાં કહ્યું કે જમ્મુ- કાશ્મીર અને લદ્દાખ ‘ભારતનો અભિન્ન અને અવિભાજ્ય ભાગ હતા અને હંમેશા રહેશે.’
ગિલાનીના જનાજાને લઈને જૂઠ્ઠાણું ફેલાવવાનો પ્રયાસ
UNGAમાં ભારતની પહેલી મહિલા સચિવ સ્નેહા દૂબેએ કહ્યું આજે પણ પાકિસ્તાનના પ્રધાનમંત્રી આતંકવાદની ઘટનાઓને યોગ્ય સાબિત કરવાનો પ્રયાસ કરતા સાંભળવા મળ્યા છે. આધુનિક દુનિયામાં આતંકવાદથી કેવી રીતે બચાવ સ્વીકાર્ય નથી. મહાસભામાં પાકિસ્તાનના પ્રમુખ ઈમરાન ખાને એક રિકોર્ડેડ મેસેજ ચલાવ્યો હતો. જ્યાં તે પોતાના ભાષણમાં 13 વાર કાશ્મીરનો ઉલ્લેખ કરી રહ્યા છે અને હુર્રિયત નેતા સૈયદ અલી શાહ ગિલાનીના જનાજાને લઈને જૂઠ્ઠાણું ફેલાવવાનો પ્રયાસ કરી રહ્યા છે.
પાકિસ્તાન નેતૃત્વ આતંકી લાદેનને ‘શહીદ’ના રુપમાં સન્માન આપે છે
UNGAના મંચ પરથી દુનિયાને જણાવ્યું કે ઓસામા બિન લાદેનને પાકિસ્તાને શરણ આપી હતી. આજે પણ પાકિસ્તાન નેતૃત્વ આતંકી લાદેનને ‘શહીદ’ના રુપમાં સન્માન આપે છે. ભારતે કહ્યું કે પાકિસ્તાન પોતાના ઘરમાં આતંકવાદીઓને એ આશા સાથે પાળે છે કે પડોશી દેશોને નુકસાન પહોંચાડશે. ભારતે કહ્યું આપણે સાંભળીએ છીએ કે પાકિસ્તાન આતંકવાદનો શિકાર છે. આગ લગાવનાર પાકિસ્તાન પોતાને ફાયર ફાઈટર તરીકે દર્શાવે છે. પાકિસ્તાનના આ બેમુખને સમજવા બહું મુશ્કેલ છે. જે પોતાના અલ્પસંખ્યકોને રાજ્યના ઉચ્ચ પદોની આકાંક્ષાથી રોકે છે.