જમ્મૂ-કાશ્મીરમાં છેલ્લા 36 કલાકમાં ચાર અલગ-અલગ અથડામણમાં આઠ આતંકીઓ ઠાર મરાયાં છે. જેમાં બાંદીપુરાના હાજિનમાં બે, શોપિયામાં બે, કલાંતરમાં બે તેમજ સોપારમાં 2 આતંકીઓ સામેલ છે. સોપાર સિવાય અન્ય સ્થળો પર અથડામણ પુરી થઇ ગઇ છે. સોપારમાં સેનાને એક આતંકી હજી પણ છુપાયો હોવાની આશંકા છે.
અથડામણ સ્થળ પરથી નાગરિકોને સુરક્ષિત જગ્યાઓ પર પહોંચાડી દેવામાં આવ્યાં છે. જ્યારે સેના દ્વારા 25થી 30 મકાનમાં સર્ચ ઓપરેશનનું કામ ચલાવામાં આવી રહ્યું છે. બાંદીપોરા જિલ્લાના હાજિન વિસ્તારમાં મીર મોહલ્લામાં આતંકીઓ હોવાની સૂચના મળતાં સેના દ્વારા સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું છે.
જેમાં સેનાની 13 આરઆર, સીઆરપીએફ અને એસઓજી સામેલ હતી. સર્ચ ઓપરેશન દરમિયાન બે આતંકીઓને ઘેરી લેવામાં આવ્યાં. આ અથડામણમાં લશ્કર-એ-તૈયબાના બે આતંકી અલી અને હુબેબને ઠાર મરાયાં. જ્યારે બારામુલ્લાના કલાંતરના પાયીનમાં સેના દ્વારા ચલાવામાં આવેલા સર્ચ ઓપરેશનમાં જૈશ-એ-મહોમ્મદના બે આતંકી ઠાર મરાયા. જેમાં સોપારનો એક આમિર રસૂલ અને એક પાકિસ્તાનનો આતંકી સામેલ છે.
જ્યારે સોપાર અને શોપિયામાં સેના અને આતંકીઓ વચ્ચે થયેલી અથડામણમાં બે-બે આતંકીઓ ઠાર મરાયાં. સોપારમાં ઠાર મરાયેલા આતંકીઓની ઓળખ થઇ નથી. જ્યારે શોપિયામાં જૈશના બે આતંકીઓને ઠાર મરાયાં. જેમાં એક જૈશનો શૌકત શેખ (પાકિસ્તાન) તેમ અન્ય એક સ્થાનિક આતંકી સામેલ છે.