જમ્મૂ-કાશ્મીરના પુલવામાં સેનાએ બે આતંકીઓને ઠાર માર્યા છે. પુલવામાના દાલીપોરમાં સેનાએ એક ઘરમાં છુપાયેલા બે આતંકીઓને ઠાર માર્યાં છે. આ અથડામણમાં બે જવાન ઇજાગ્રસ્ત થયા છે. જો કે હજુ પણ સેના-આતંકીઓ વચ્ચે ફાયરિંગ ચાલુ છે.
જમ્મૂ-કશ્મીરમાં આજે સુરક્ષાબળના જવાનોના દિવસની શરૂઆત અથડામણથી થઈ છે. જેમાં સુરક્ષાબળે બે આતંકીઓને ઠાર માર્યા છે. પુલવામાના દાલીપોરમાં સુરક્ષાબળ અને આતંકીઓ વચ્ચે અથડામણ જોવા મળી છે.
દાલીપોરામાં આંતકીઓ દ્વારા સુરક્ષાબળના જવાનો પર ફાયરિંગ કરવામાં આવતા સુરક્ષાબળના જવાનોએ પણ જવાબી કાર્યાવાહીમાં આતંકીઓને ઘેર્યા અને આતંકીઓનો ખાતમો બોલાવવા કાર્યવાહી હાથ ધરી છે. જેમાં સુરક્ષાબળને મોટી સફળતા મળી છે. સુરક્ષાબળે બે આતંકીઓને ઠાર માર્યા છે. જ્યારે દુઃખદ વાત એ છે કે આ ઘટનામાં આપણા એક જવાન શહીદ થયા છે. જ્યારે 2 જવાનો ઈજાગ્રસ્ત થયા છે.
સુરક્ષાબળના જવાનોએ સમગ્ર વિસ્તારને ઘેરી લીધો છે અને અન્ય આતંકીઓ છૂપાયા હોવાની આશંકાએ સર્ચ ઓપરેશન હાથ ધર્યું છે. જ્યારે અન્ય એક ઘટનામાં આર્મીના એક જવાન ઈજાગ્રસ્ત થયા હોવાના સમાચાર પણ સામે આવ્યા છે. જેમાં જમ્મૂ-કાશ્મીરના પૂંછ જિલ્લામાં લાઈન ઓફ કંટ્રોલ પાસે એક બ્લાસ્ટ થયો છે. આ બ્લાસ્ટમાં આર્મીના એક જવાન ઈજાગ્રસ્ત થતા તેમને સારવાર હેઠળ ખસેડવામાં આવ્યા છે.