જમીયત ઉલમા એ હિંદના અધ્યક્ષ મૌલાના અરશદ મદનીએ નિવેદન આપ્યું હતું કે, સ્પેશીયલ કોર્ટના આ ચુકાદાને અને કાયદાકીય રીતે હાઈકોર્ટમાં પડકારશે
જમીયત ઉલમા એ હિંદના અધ્યક્ષ મૌલાના અરશદ મદનીનું નિવેદન
38 આતંકવાદીઓને ફાંસીથી બચાવવા હાઈકોર્ટ જશે જમીયત ઉલમા એ હિંદ
અક્ષરધામ હુમલા કેસમાં પણ ફાંસીની સજા રદ્દ થઇ હતીઃ મદની
Today, the verdict pronounced by the Special Session Court in the Gujarat bomb blast case in which 38 convicts sentenced to death, 11 to life imprisonment, is Unbelievable, and this verdict will be challenged in the High Court.@ANI
જમીયત ઉલમા એ હિંદના અધ્યક્ષ મૌલાના અરશદ મદનીએ અમદાવાદ બોમ્બ વિસ્ફોટ કેસમાં સ્પેશીયલ કોર્ટે આપેલા ચુકાદાને લઈને નારાજગી વ્યક્ત કરતાં જણાવ્યું હતું કે, અમે કોર્ટે આપેલા આ નિર્ણયને હાઈકોર્ટમાં પડકારવાન નિર્ણય કર્યો છે. મૌલાના અરશદ મદનીએ 38 દોષિતોને મોતની સજા અને 11 દોષિતોને આજીવન કારાવાસની સજા અંગે આપેલા પોતાના નિવેદનમાં કહ્યું કે- અમે આ સજા સામે હાઈકોર્ટમાં જશું અને કાયદાકીય લડતને આગળ પણ જાળવી રાખશું. અગાઉ તેમણે કહ્યું હતું કે, અમને વિશ્વાસ છે કે હાઈકોર્ટમાં અમને પૂરો ન્યાય મળશે. અગાઉ પણ અનેક કેસોમાં નીચલી કોર્ટ દ્વારા સજા પામેલા દોષિતોને હાઈકોર્ટમાં કે સુપ્રીમ કોર્ટમાં નિર્દોષ જાહેર કરવામાં આવેલા છે અને તેમને છોડી મુકવામાં આવેલા છે.
અક્ષરધામ હુમલા કેસમાં પણ ફાંસીની સજા રદ થઇ હતી: મદની
મૌલાના અરશદ મદનીએ કહ્યું હતું કે, અક્ષરધામ મંદિર હુમલા કેસનું એક મોટું ઉદાહરણ આપણી પાસે છે જ. તેમા નીચલી કોર્ટે મુફ્તી અબ્દુલ કય્યુમ સહિત 3 લોકોને ફાંસીની સજા આપેલી. 4 વ્યક્તિને આજીવન કારાવાસની સજા આપી હતી. ગુજરાત હાઈકોર્ટે નીચલી અદાલતના ચુકાદાને યથાવત રાખ્યો હતો. પણ, જ્યારે આ કેસ સુપ્રીમ કોર્ટ પહોંચ્યો અને ત્યાં વાતને રજૂ કરવામાં આવી તો સુપ્રીમ કોર્ટે તમામ લોકોને નિર્દોષ છોડી દીધા હતા.
2008 Ahmedabad serial bomb blast case | A special court will pronounce the quantum of sentence against 49 convicts today pic.twitter.com/iz279NqwYF
મૌલાના અરશદ મદનીએ કહ્યું કે બોમ્બ વિસ્ફોટ જેવા મોટાભાગના ગંભીર કેસોમાં નીચલી કોર્ટો કઠોર ચુકાદા આપે છે. આરોપીને હાઈકોર્ટ અને સુપ્રીમ કોર્ટમાંથી હંમેશા રાહત મળે છે. અમને આશા છે કે આ કેસમાં પણ આરોપીઓને રાહત મળશે. તેણે કહ્યું કે જો જરૂર પડશે તો અમે સુપ્રીમ કોર્ટમાં જશું.મને આશા છે કે આ વખતે પણ અમદાવાદ વિસ્ફોટ કેસમાં આરોપીઓને સુપ્રીમ કોર્ટથી ફાંસી તથા આજીવન કેદની સજાથી બચાવવા તથા મુક્ત થવામાં સફળતા મળશે.