દેશના બદલાયેલા રાજનૈતિક માહોલ માં જમીયત ઉલેમા એ હિન્દના રાષ્ટ્રીય અધ્યક્ષ મૌલાના અરશદ મદનીએ રાષ્ટ્રીય સ્વંય સંઘ (RSS)ના પ્રુખ મોહન ભાગવતથી મુલાકાત કરી. મદનીએ આ મુલાકાત સંઘના દિલ્હી કાર્યાલય કેશવ કુંજમાં જઇને કરી હતી. જમીયત ઉલેમા એ હિન્દના ઇતિહાસમાં આ પહેલીવાર છે કે જ્યારે જમીયતનો કોઇ અધ્યક્ષે સંઘના દરવાજો ખખડાવ્યો હોય.
રાત્રે 12 વાગ્યા સુધી થઇ વાતચીત
મૌલાના અરશદ મદની અને મોહન ભાગવતની મુલાકાત શુક્રવારે દિલ્હીમાં થઇ. આ મુલાકાત માત્ર 30 મિનિટ માટે નક્કી થઇ હતી. પરંતુ બંને પ્રમુખોએ બંદ રૂમમાં વાતચીતનો સિલસિલો શરૂ કર્યો તો દોઢ કલાક સુધી વાત ચાલતી રહી. મૌલાના અરશદ મદની શુક્રવારની રાત્રે 10 વાગ્યે સંઘના દિલ્હી કાર્યાલય કેશવ કુંજ પહોંચ્યા. ત્યારબાદ 10.15 વાગ્યાથી 11.45 વાગ્યા સુધી બંધ રૂમમમાં ભાગવત સાથે વાતચીત કરી. જોકે, આ દરમિયાન શું વાતચીત થઇ છે તે હજુ સુધી સામે આવી શક્યું નથી. પરંતુ જમીયતની તરફથી કહેવામાં આવી રહ્યું છે કે વાતચીતમાં વર્તમાન રાજકીય સ્થિતિને લઇને વાતચીત થઇ છે.
રામલાલે તૈયાર કરી મુલાકાતની પુષ્ઠભૂમિ
સૂત્રોનુ માનીએ તો, મૌલાના અરશદ મદનીની સંઘ પ્રમુખ ભાગવત સાથે મુલાકાત ભારતીય જનતા પાર્ટીના પૂર્વ રાષ્ટ્રીય સંગઠન મહામંત્રી અને આરએસએસના સહસંપર્ક પ્રમુખ રામલાલે કરાવી છે.
રામ મંદિર-બાબરી મસ્જિદ મામલામાં પક્ષકાર છે જમીયત
મોદી સરકારના બીજી વાર સરકારમાં આવ્યા બાદ અને વર્તમાન સમયમાં રામમંદિર-બાબરી મસ્જિદ મામલે સુપ્રીમ કોર્ટમાં થઇ રહેલી સુનાવણી વચ્ચે મૌલાના અરશદ મદની અને મોહન ભાગવતની મુલાકાત ઘણા રાજનૈતિક અર્થ નીકાળવામાં આવી રહ્યા છે. અયોધ્યા મામલે મુસ્લિમ પક્ષકારો તરફથી પાંચ પાર્ટીઓ સુપ્રીમ કોર્ટમાં કેસની પેરવી કરી રહી છે. તેમા જમીયત તરફથી અરશદ મદની પણ સામેલ છે. એવામાં આ મુલાકાતને અયોધ્યા મામલા સાથે જોડીને પણ જોવામાં આવી રહ્યો છે.
2 વર્ષથી થઇ રહી હતી તૈયારી
મૌલાના અરશદ મદનીની સંઘ પ્રમુખ સાથે મુલાકાતની પટકથા બે વર્ષથી લખાઇ રહી હતી. અરશદ મદની 2016થી સંઘ પ્રમુખ મોહન ભાગવતની મુલાકાત કરવાની સતત કોશિશ કરી રહ્યા હતા. આ સંબંધમાં મૌલાના અરશદ મદની ઘણી વાર પોતાની ઇચ્છા જાહેર કરી ચૂક્યા છે. આ માટે જમીયત ઉલેમા એ હિન્દના પદાધિકારીઓએ રામલાલનો સંપર્ક કર્યો, ત્યારે રામલાલે મૌલાના અરશદ મદનીને ભાગવત સાથે મળવાની અપીલ કરી હતી. જોકે, સંઘ પ્રમુખે અરશદ મદનીને મુલાકાતનો સમય ન આપ્યો, તેથી આ સિલસિલો ટળતો રહ્યો. નરેન્દ્ર મોદીના સરકારમાં ફરી વાર ચૂંટાતા, બીજેપીમાં સંઘમાં બીજીવાર વાપસી કર્યા બાદ રામલાલની આરએસએસમાં પકડ મજબૂત થઇ છે.
સંઘની પહેલા પણ થઇ છે જમીયતની મુલાકાત
જમીયત ઉલેમા એ હિન્દના અધ્યક્ષની સંઘ પ્રમુખ સાથે આ પહેલી મુલાકાત નથી. અરશદ મદની પહેલા જમીયતના અધ્યક્ષ રહેલા મૌલાના અસદ મદનીએ સંઘના તાત્કાલીક અધ્યક્ષ કે સુદર્શન સાથે દિલ્હીના ઇન્ડિયા હેબિટેટ સેન્ટરમાં મુલાકાત કરી હતી. જોકે આ મુલાકાત જમીયત ઉલેમા એ હિન્દના એક કાર્યક્રમના સિલસિલામાં થઇ હતી. જ્યારે મૌલાના અરશદ મદનીની મોહન ભાગવત સાથે મુલાકાત સંઘના કાર્યાલય કેશવ કુંજમાં થઇ છે.