જામિયા ઈસ્લામિયાની આસપાસ અને જામિયા નગરના વિસ્તારમાં સોમવારે તણાવની સ્થિતિ જોવા મળી હતી. પ્રદર્શનકર્તા સવારથી સડક પર ઉતરી આવ્યા હતા. ડીયૂમાં પ્રદર્શન થયું અને વિદ્યાર્થીઓ અને પોલીસની વચ્ચે અથડામણ પણ થઈ. મંગળવારે સવારે હિંસા ફેલાવવાના આરોપમાં પોલીસે 10 લોકોની ધરપકડ કરી છે. જેમાં એક પણ વિદ્યાર્થી નથી. આજે પણ દિલ્હીથી નોઈડા આવનારા લોકોને મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો છે. આ સાથે જ જાણો કયા રૂટ બંધ કરવામાં આવ્યા છે.
જામિયા હિંસામાં 10 લોકોની પોલીસે ધરપકડ કરી
10માંથી એક પણ વિદ્યાર્થી નહીં
ધરપકડ કરાયેલાને આજે કોર્ટમાં રજૂ કરાશે
ધરપકડ કરાયેલા લોકોને આજે કોર્ટમાં કરાશે રજૂ
આજે બપોરે કોર્ટમાં ધરપકડ કરાયેલા લોકોને રજૂ કરવામાં આવશે. પોલીસનું કહેવું છે કે કેટલીક નવી ધરપકડ પણ ચાલી રહી છે. જે લોકોની ધરપકડ કરવામાં આવી છે તે વીડિયો ફૂટેજના આધારે કરવામાં આવી છે.
દિલ્હીથી નોઈડા જવાના આ રૂટ અપનાવો
મથુરા રોડ થઈને નોઈડા જનારા યાત્રીઓને માટે આ એડવાઈઝરી જાહેર કરવામાં આવી છે. તેઓ આશ્રમ ચોક, ડીએનડી કે નોઈડા લિંક રોડનો ઉપયોગ કરે. કાલિંગી કુંજની તરફથી જનારો ઓખલા અંડર પાસ પણ હાલમાં બંધ છે. નોઈડાથી આવનારા મુસાફરો દિલ્હી આવવાને માટે ડીએનડી કે અશ્રરધામના રૂટનો ઉપયોગ કરે તે યોગ્ય છે.
Similarly people in taking to go to Noida from Mathura road are advised to take ashram chowk ,DND or Noida link road. Okhla underpass going towards Kalindi Kunj is also closed for traffic movement.
જામિયા હિંસામાં 10 લોકોની ધરપકડ, એક પણ વિદ્યાર્થી નહીં
નાગરિકતા સંશોધન કાયદાના વિરોધમાં દિલ્હીના જામિયા નગર વિસ્તારમાં થયેલી હિંસાને લઈને દિલ્હી પોલીસે કાર્યવાહી શરૂ કરી છે. પોલિસે અપરાધિક વ્યક્તિત્વ ધરાવતા 10 લોકોની ધરપકડ કરી છે. તેમાં કોઈ વિદ્યાર્થીને પકડવામાં આવ્યો નથી. પોલીસે સીસીટીવી ફૂટેજના આધારે આ ગિરફ્તારી કરી છે.
Delhi Police: 10 people with criminal backgrounds arrested, in connection with Dec 15 Jamia Millia Islamia incident. No student has been arrested. pic.twitter.com/8ympdPOU5r