દિલ્હીના જામિયા મિલિયા ઈસ્લામિયામાં ગત વર્ષે 15 ડિસેમ્બરે દિલ્હી પોલિસ લાયબ્રેરીમાં ઘૂસી અને વિદ્યાર્થીઓને ખરાબ રીતે માર મારવામાં આવ્યો હતો.
જામિયા મિલિયા ઈસ્લામિયામાં ઘૂસી પોલીસ
પોલીસ પર લાગ્યો વિદ્યાર્થીઓને મારવાનો આરોપ
વીડિયોમાં વિદ્યાર્થીઓ પર લાઠીઓ વરસાવી રહી છે પોલીસ
લગભગ 2 મહિના પહેલાંની ઘટનાના સીસીટીવીના ફૂટેજ સામે આવ્યા છે. આ સીસીટીવી ફૂટેજ જામિયાની ઓલ્ડ લાયબ્રેરીનો છે. તેમાં સ્પષ્ટ રીતે જોઈ શકાય છે કે વિદ્યાર્થીઓ ભણી રહ્યા છે. આ સમયે પોલીસ અચાનક અંદર આવી જાય છે અને વિદ્યાર્થીઓને પીટવા લાગે છે. ઘટનામાં મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ ઘાયલ થયા છે.
પોલીસ દ્વારા કરવામાં આવતી મારપીટમાં એક વિદ્યાર્થીની આંખને પણ થયું છે નુકસાન
Evidence of Police brutality in Jamia:15 दिसम्बर को पुलिस लाईब्रेरी के अंदर घुसी थी ये सीसीटीवी फुटेज जामिया की लाइब्रेरी का है जिसमे नज़र आ रहा है कि छात्र पढ़ाई कर रहे है अचानक पुलिस आती है और लाइब्रेरी के अंदर घुसकर छात्रों पीटने लगती है,पिटाई में एक छात्र की आंख भी गई थी.. pic.twitter.com/vVSTHfFCCc
ગયા વર્ષે ડિસેમ્બરમાં નાગરિકતા કાયદાના વિરોધમાં જામિયા મિલિયા ઈસ્લામિયાના વિદ્યાર્થીઓએ શાંતિપૂર્ણ રીતે પ્રદર્શન કર્યું હતું. 15 ડિસેમ્બરે પોલીસ અંદર ઘૂસી અને વિદ્યાર્થીઓને માર્યા. કેસમાં જામિયા પ્રશાસનની તરફથી પોલિસની વિરુદ્ધમાં ફરિયાદ કરવામાં આવી હતી. પોલીસ કેસમાં હાલ તપાસની વાત ચાલી રહી છે. જામિયા મિલિયા ઈસ્લામિયાના વિદ્યાર્થીઓએ વિશ્વવિદ્યાલય પ્રશાસનને દિલ્હી પોલીસની વિરુદ્ધ કાર્યવાહીની માંગ કરી છે.
પ્રદર્શનકારીઓ અમિત શાહને મળવા જશે
ઉલ્લેખનીય છે કે દેશભરમાં નાગરિકતા કાયદાનો વિરોધ થઈ રહ્યો છે. દિલ્હીના શાહીનબાગમાં છેલ્લા 2 મહિનાથી નાગરિકતા કાયદાને પાછો લેવાની માંગને લઈને પ્રદર્શન ચાલી રહ્યું છે. બે મહિના બાદ આજે શાહીનબાગના પ્રદર્શનકારીઓએ કેન્દ્ર સરકારે વાતચીત કરવાનું નક્કી કર્યું છે. શાહીનબાગના દાદીઓનું કહેવું છે કે રવિવારે બપોરે 2 વાગે માર્ચ કરીને અમિત શાહને મળવા જશે. તેમની સાથે અન્ય લોકો જશે અને તેઓ ગૃહમંત્રી સાથે વાત પણ કરશે. પ્રદર્શનકારીઓએ માર્ચ માટે પોલીસની મંજૂરી લીધી નથી અને સાથે જ અમિત શાહની એપોઈન્ટ્મેન્ટ પણ લીધી નથી.