જામિયા મિલિયા ઇસ્લામિયા યૂનિવર્સિટી અને અલીગઢ યૂનિવર્સિટીના વિદ્યાર્થીઓના પ્રદર્શન મામલા પર દાખલ 3 અરજીઓ પર સુપ્રીમ કોર્ટ સુનાવણી કરશે. મુખ્ય ન્યાયાધીશની આગેવાની વાળી પીઠ મંગળવારે આ મામલાની સુનાવણી કરશે. નાગરિકતા સંશોધન કાયદાને લઇને જામિયા મિલિયા ઇસ્લામિયા યૂનિવર્સિટી અને અલીગઢ મુસ્લિમ યૂનિવર્સિટીના વિદ્યાર્થીઓએ વિરોધ પ્રદર્શન કર્યું.
3 અરજીઓ પર મંગળવારે સુનાવણી કરશે સુપ્રીમ કોર્ટ
જામિયા અને AMU પ્રદર્શન મામલામાં સુનાવણી કરશે
પોલીસ અને ABVPના વિદ્યાર્થીઓ વચ્ચે ઘર્ષણ થયું
રવિવારે આ વિરોધ પ્રદર્શન હિંસક બન્યું હતું. દિલ્હીમાં પ્રદર્શનકારીઓ ઘણી બસ અને બાઇકને સળગાવી દીધી હતી. હિંસક દેખાવકારો વિરુદ્ધ પોલીસે લાઠીચાર્જ કરવો પડ્યો અને ટિયર ગેસ છોડવા પડ્યા. ત્યારબાદ પોલીસ કર્મીઓએ હિંસા ફેલાવી રહેલા તત્વોના જામિયા મિલિયા યૂનિવર્સિટીમાં ઘુસ્યા હોવાની શંકા પર કેમ્પસ માંથી તમામ વિદ્યાર્થીઓને બહાર નીકાળ્યા હતા.
બીજી તરફ નાગરિકતા સંશોધન કાયદાની વિરુદ્ધ અલીગઢ મુસ્લિમ યૂનિવર્સિટી (AMU)માં રવિવારે મોડી રાત્રે થયેલા પ્રદર્શનમાં ત્રણ વિદ્યાર્થીઓ ઘાયલ થઇ ગયા. પોલીસે 21 વિદ્યાર્થીઓની ધરપકડ કરી. તેની સાથે જ એએમયૂ 5 જાન્યુઆરી સુધી બંધ કરી દેવામાં આવી.
મઉ અને વારાણસીમાં પણ પ્રદર્શન
નાગરિકતા સંશોધન કાયદાની વિરુદ્ધ આખા દેશમાં વિરોધ પ્રદર્શન જોવા મળી રહ્યા છે. દિલ્હી સહિત દેશના બીજા ભાગોમાં પણ હિંસક પ્રદર્શનના સમાચાર મળી રહ્યા છે. મઉમાં હિંસક ભીડે રસ્તા પર ઉભી કેટલીક ગાડીઓના કાચ તોડી નાંખ્યા છે. ઉગ્ર ભીડે નરેન્દ્ર મોદી અને યોગી સરકારની વિરુદ્ધ નારેબાજી કરી. નાગરિકતા કાયદાની વિરુદ્ધ જોઇન્ટ એક્શન કમિટીના વિદ્યાર્થીઓએ પણ પ્રદર્શન કર્યું છે. બીએચયૂના ગેટ પર એબીવીપી અને વિરોધ કરનારા વિદ્યાર્થીઓ સામ-સામે આવી ગયા. પોલીસ અને ABVPના વિદ્યાર્થીઓ વચ્ચે ઘર્ષણ થયું છે.