જામિયામાં થયેલા ગોળીબારનો વિદ્યાર્થીઓ વિરોધ કરી રહ્યાં છે. તેઓ દિલ્હી પોલીસ હેડક્વાર્ટર બાદ ધરણા પર બેસવાનો પ્રયાસ કરતાં પોલીસે તેમને ડિટેઈન કર્યા છે. બીજી તરફ હુમલો કરનારની સામે આર્મ્સ એક્ટ હેઠળ ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.
જામિયા ફાયરિંગ બાદ વિદ્યાર્થીઓ દ્વારા વિરોધ
આખી રાત હેડક્વાર્ટ બહાર વિદ્યાર્થીઓએ કર્યા ધરણા
ધરણા કરી રહેલા કેટલાક વિદ્યાર્થીઓની અટકાયત
પોલીસ હેડક્વાર્ટર બહાર પ્રદર્શન કરનારને પોલીસે ...
દિલ્હી જામિયા વિસ્તારમાં ગઈ કાલે જામિયા મિલિયા યુનિ.નાં વિદ્યાર્થીઓ દ્વારા સીએએનો વિરોધ કરવામાં આવી રહ્યો હતો. આ દરમિયાન એક સગીર યુવકે ફાયરિંગ કર્યુ હતું. જેમાં એક વિદ્યાર્થી ઘાયલ થયો હતો. જેને પગલે આજે સવારે જામિયાનાં વિદ્યાર્થીઓ દ્વારા પોલીસ હેડક્વાર્ટર પર ધરણા કર્યાં હતા. વિદ્યાર્થીઓએ આખી રાત ધરણ કર્યાં હતા. જોકે વહેલી સવારે પોલીસે તેમને રસ્તો છોડી દઈ ફુટપાથ પર બેસવા સમજાવી રહી છે. પોલીસ પ્રયાસ કરી રહી છે તેમને હટાવવાનો જોકે પ્રદર્શનકારીઓ માનવા તૈયાર નથી. ત્યારે પોલીસ પ્રદર્શન કારીઓની ડિટેઈન કરવાનું શરું કર્યું છે.
#WATCH Delhi: Protesters who were sitting outside Police Headquarters(old) at ITO against the firing incident in Jamia area yesterday, detained by Police pic.twitter.com/UJCffpJKzN
દિલ્હીમાં જામિયામાં ફાયરિંગ કરનારા સગીરની વિરુદ્ધ દિલ્હી પોલીસે આઈપીસી કલમ 307 અને આર્મ્સ એક્ટ હેઠળ ગુનો દાખલ કર્યો છે. સાથે સાથે આ ઘટનાની તપાસ ક્રાઈમ બ્રાન્ચને સોંપવામાં આવી છે. આ પહેલા દિલ્હી પોલીસ અધિકારી પ્રવીર રંજને આરોપીની ગોળીથી ઈજાગ્રસ્ત શાદાબની એમ્સમાં મુલાકાત લીધી હતી. બીજી તરફ ફાયરિંગ બાદ ફેસબુકે સગીરનું એકાઉન્ટ ડિલીટ કરી હતી.
ગોળીબારમાં ઈજાગ્રસ્તની હાલત સ્થિર
તેમણે જણાવ્યું હતુ કે વિદ્યાર્થીનાં હાથ પર લાગેલી ગોળી નિકળી ગઈ છે. ઈજાગ્રસ્ત શાદાબની તબિયત સારી છે. એક સવાલાં જવાબમાં રંજને કહ્યુ હતું કે હુમલો કરનાર સગીર છે કે કેમ તેની તપાસ ચાલી રહી છે. ઉલ્લેખનીય છે કે ગુરુવારે નાગરિક્તા સંશોધન અધિનિયમ (સીએએ) અને નેશનલ રજિસ્ટ્રર ઓફ સિટીજન્સ(એનઆરસી)ની વિરુદ્ધ પ્રદર્શન કરવામાં આવી રહ્યાં હતાં. જેમાં એક સગીરે ફાયરિંગ કર્યું હતું. આ દરમિયાન વિદ્યાર્થી શાદાબને હાથ પર ગોળી વાગી હતી. જે જામિયા મિલિયા યૂનિવર્સિટીમાં માસ કોમ્યુનિકેશનનો વિદ્યાર્થી છે.