હિંદુ ધર્મમાં એવી ઘણી ચીજો છે જેને ઘરમાં રાખવું શુભ માનવામાં આવે છે. એનાથી ઘરમાં મા લક્ષ્મીનો વાસ હોય છે. સાથે જ સુખ શાંતિ આવે છે. એ ચીજોમાંથી એક છે જળકુંભી. આ એક પ્રકારની શેવાળ છે. એનાથી ધન પ્રાપ્તિની ખૂબ જ કારગર રીત માનવામાં આવી છે.
નોકરીમાં આવી રહેલી સમસ્યાઓને દૂર કરવામાં પણ કારગર છે જળકુંભી
પ્રવેશ દ્વારા પર એને લટકાવવાથી નકરાત્મકતાઓ દૂર થાય છે
નકારાત્મક ઊર્જાને દૂર કરીને સકારાત્મક ઊર્જાના સંચાર માટે ઘરમાં જળકુંભી રાખવી ખૂબ જ સારી હોય છે. એનાથી આર્થિક પરેશાનીઓ દૂર થાય છે.
જે લોકો નોકરી અથવા વેપારમાં તરક્કી ઇચ્છે છે તો ગુરુવારે જળકુંભી લાવો અને એને પીળા કપડામાં બાંધીને રસોઇના દરવાજા પર લટકાવી દો. દર ગુરુવારે એને બદલો, આ ઉપાય કરવાથી સફળતા મળે છે.
મા લક્ષ્મીને પ્રસન્ના કરવા માટે પૂજા સ્થાન પર જળકુંભી રાખો, એનાથી ઘરમાં ધનનું આગમન થશે.
પારિવારિક ક્લેશ અથવા મનભેદ જેવી નકારાત્મકતાઓને દૂર રાખવામાં પણ જળકુંભી મદદગાર થાય છે. આ પરિવારના તમામ સભ્યોના વિકાસમાં મદદ કરે છે.
જૂના જળકુંભીને કોઇ નદી, તળાવ અથવા વહેતા પાણીમાં પ્રવાહિત કરી જો. આવું કરવાથી ઘર પરિવાર પર આવી રહેલી મુસીબતો દૂર થાય છે.
જળકુંભીને મા લક્ષ્મીના પગમાં મૂકવાથી આર્થિક સમસ્યાઓ ખતમ થાય છે. એનાથી કાર્યમાં આવી રહેલી અડચણ દૂર થાય છે.
જે લોકોનું મન બેચેન રહે છે એમને જળકુંભીને લીલા કપડામાં બાંધીને પોતાના જમણા હાથ પર બાંધવું જોઇએ, એનાથી મન શાંત રહે છે.
જળકુંભીને ઘરના મેન ગેટ પર લટાકાવવાથી નકારાત્મકતાઓ દૂર થાય છે. એનાથી ખરાબ આત્માઓ ઘરમાં પ્રવેશ કરી શકતી નથી.
જો સ્વાસ્થ્ય સારું ના રહે તો જળકુંભીના તાબીજ બનાવીને ગળામાં બાંધી લો, આ પ્રક્રિયા રવિવારે કરે. એનાથી રોગ દૂર થાય છે.