જેમ જેમ લોકસભાની ચૂંટણી નજીક આવી રહી છે. તેમ તેમ વિવાદનો વંટોળ ઉગ્ર બનવા લાગ્યો છે. ન શબ્દોની સીમા છે અને ન તો રાજકીય સંબંધના બંધન. રાફેલ વિવાદ મામલે કોંગ્રેસને ઘેરવા માટે કેન્દ્રીય મંત્રી અરૂણ જેટલીએ એક બ્લોગ લખ્યો. પરંતુ આ બ્લોગનું માથાળુ જ વિવાદનું કેન્દ્ર બની ગયું છે.
કેન્દ્રીય નાણા મંત્રી અરૂણ જેટલી દ્વારા લખવામાં આવેલા આ વાક્યનો અર્થ થાય છે મુર્ખ રાજકુમારનું જુઠ્ઠાણુ જેટલીએ સોશિયલ મીડિયા પર શેર કરેલા આ બ્લોગમાં કોંગ્રેસ દ્વારા લગાવવામાં આવતા આરોપોનો જવાબ આપ્યો. જેટલીએ બ્લોગમાં લખ્યું કે રાહુલ ગાંધી રાફેલ અને એનપીએ મામલે ખોટુ બોલી રહ્યા છે. સાથે જ 15 ઉદ્યોગપતિઓનું દેવુ માફ કરવાનો આરોપ પણ ખોટો છે.
રાહુલ ગાંધી વારંવાર જુઠ બોલીને સત્ય દબાવવાની રણનીતિ અપનાવી છે. વર્ષ 2014માં 2.5 લાખ કરોડ રૂપિયા એનપીએ હોવાનો કોંગ્રેસે દાવો કર્યો હતો પરંતુ તે ખોટો છો. જ્યારે તપાસ કરવામાં આવી તો 8.96 લાખ કરોડ રૂપિયા એનપીએ હોવાનો ખુલાસો થયો.
એટલે અરૂણ જેટલીએ કોંગ્રેસને આરોપોનો ડબલ ડોઝ આપ્યો પરંતુ સૌથી મોટો કકળાટ જેટલીના બ્લોગના મથાળાનો થયો. કારણ કે જે રીતે જેટલીએ એક બાદ એક આરોપ લગાવ્યા હતા તેના કેન્દ્રમાં રાહુલ ગાંધી જ હતા. એટલે કોંગ્રેસના નેતાઓએ પણ જેટલીના આ વલણ પર વળતો પ્રહાર કર્યો.
આ પહેલા રાહુલ ગાંધીએ એક સમાચાર પત્રનો હવાલો આપીને રક્ષા મંત્રી નિર્મલા સિતારમનનું રાજીનામુ આપ્યું હતું. રાહુલે ટ્વીટ કર્યું કે રાફેલ મંત્રીનું જુઠ્ઠાણુ ફરી એકવાર સામે આવી ગયું છે.
તેમને રાજીનામું આપી દેવું જોઇએ. હિન્દુસ્તાન એરોનોટિક્સ લિમીટેડના પૂર્વ પ્રમુખ ટી એસ રાજુએ કહ્યું હતું કે સરકાર રાફેલ વિમાનનું ભારતમાં જ ઉત્પાદન કરાવી શકતી હતી. જ્યારે ચોથી જનરેશનના ફાઇટર જેટ સુખોઇ-30 બનાવી શકે છે તો રાફેલ પણ બનાવી જ શકે છે.
આ ટ્વીટ બાદ રક્ષા મંત્રીની પ્રતિક્રિયા તો ન આવી પરંતુ આડકતરી રીતે જેટલી આ વિવાદમાં કુદી પડ્યા. એટલે હવે ભ્રષ્ટાચાર મુદ્દે 2019ની લડાઇ લડવાની તૈયારીમાં બન્ને રાજકીય પક્ષો હોય તેમ લાગી રહ્યું છે.