વિદેશમંત્રી જયશંકરે કહયું કે પીએમ મોદીએ તેલ ખરીદ પર વધતાં દબાણની કોઈ ચિંતા નથી કરી અને સ્પષ્ટ કહ્યું છે કે ભારતે એ જ કરવું જોઈએ જે રાષ્ટ્રનાં હિતમાં હોય.
તેલ ખરીદ પર દબાણની પીએમ નરેન્દ્ર મોદીને કોઈ ચિંતા નહીં : એસ. જયશંકર
પીએમ નરેન્દ્ર મોદીએ કહ્યું કે અમે એ જ કરશું જે દેશના હિતમાં છે : એસ. જયશંકર
તેલની કિંમતોમાં ઉછાળને લઈને દબાણની પીએમ નરેન્દ્ર મોદીને કોઈ ચિંતા નહીં : એસ. જયશંકર
વિદેશમંત્રી એસ. જયશંકરે કહયું કે પ્રધાનમંત્રી નરેંદ્ર મોદીએ તેલ ખરીદ પર વધતાં દબાણની કોઈ ચિંતા નથી કરી અને સ્પષ્ટ કહ્યું છે કે ભારતે એ જ કરવું જોઈએ જે રાષ્ટ્રનાં હિતમાં હોય. પીએમએ કહ્યું કે જો દબાણ આવે તો તેનો સામેથી જ મુકાબલો કરો. જયશંકરે ગુજરાતનાં વડોદરામા કહ્યું કે રશિયા-યુક્રેન યુદ્ધને કારણે પેટ્રોલની કિંમતો બમણી થઈ ગઈ છે. આમારા પર દબાણ હતું કે તેલ ક્યાંથી ખરીદવું, પરંતુ પ્રધાનમંત્રી મોદી અને સરકારનું કહેવું હતું કે અમે એ જ કરીશું જે આમારા દેશના હિતમાં હોય. જો ક્યાંયથી દબાણ આવે છે તો તેનો સામનો પણ કરશું.
Watching Garba at Navaratri celebrations in Vadodara with the Diplomatic Corps. pic.twitter.com/QuKj5aNyhp
પીએમ મોદીએ રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિન અને યુક્રેનનાં રાષ્ટ્રપતિ વોલોદિમીર જેલેન્સ્કી બંને સાથે વાત કરી અને થોડા સમય માટે યુદ્ધને અટકાવવા માટે કહ્યું, જેથી ભારત પોતાના છત્ર / છાત્રાઓને સુરક્ષિત બહાર કાઢી શકે. આ ધ્યાનમાં રાખવું અત્યંત જરૂરી છે કે રશિયા અને યુક્રેન સાથે ભારત સતત સંપર્કમાં રહ્યું છે અને બંનેને પરસ્પર વાતચીત અને કૂટનીતિથી યુદ્ધ સમાપ્ત કરવાની અપીલ કરતું આવ્યું છે.
#WATCH | Due to the Russia-Ukraine conflict petrol prices doubled. We had pressure from where to buy the oil but PM Modi & govt were of the view that we've to do what is best for our nation & if pressure comes then we should face it...: EAM Dr S Jaishankar, in Gujarat's Vadodara pic.twitter.com/Oe0lKn2OfO
લક્ષ્મી વિલાસ પેલેસની મુલાકાત
વિદેશમંત્રી એસ. જયશંકરે ગુજરાતનાં લક્ષ્મી વિલાસ પેલેસની પણ મુલાકાત લીધી. તેમણે કહ્યું કે 52 વિદેશી રાજદ્વારીઓ સાથે રાજા રવિ વર્માના ચિત્રોના સંગ્રહને જોવાની તક મળી તે માટે તેઓ ખૂબ જ ખુશ છે. જયશંકરે શનિવારે ટ્વીટ કર્યું, “52 રાજદૂતો અને ઉચ્ચ કમિશનરો સાથે લક્ષ્મી વિલાસ પેલેસની મુલાકાત લેવાનો આનંદદાયક અવસર મળ્યો. તેમની સાથે રાજા રવિ વર્માના પેઇન્ટિંગ કલેક્શનને જોઈને મને વિશેષ આનંદ થયો.
Pleasure to join 52 Ambassadors and High Commissioners on a visit to Laxmi Vilas Palace.
Was a particular privilege to see the Raja Ravi Verma painting collection with them. pic.twitter.com/KUNLuV3Fz3
જયશંકરે વિભિન્ન દેશોના પ્રતિનિધિઓ અને રાજદૂતો સાથે મિટિંગ બાદ કહ્યું કે આ ગર્વનો વિષે છે કે અમે ઘણા દેશોના અધિકારીઓ સાથે અહીં આવ્યા છીએ.જોકે, અત્યારે નવરાત્રીનો તહેવાર ચાલી રહ્યો છે, તેઓ પોતાના દિવસો આનો આનંદ ઉઠાવવામાં જ વિતાવશે. તેઓ આપણાં દેશની પ્રગતિ જોવા માટે ઉત્સુક છે.