વિદેશમંત્રી એસ. જયશંકરે અફઘાનિસ્તાનથી ભારતીયોને બહાર કાઢવાના પ્રયાસને યાદ કરીને પીએમ મોદીએ તેમને અડધી રાત્રે ફોન કર્યો હોવાનો કિસ્સો સંભળાવ્યો.
પીએમ મોદીએ અડધી રાત્રે મને ફોન કર્યો : એસ. જયશંકર
પીએમ મોદીનો પહેલો સવાલ હતો - જાગો છો?
પીએમ મોદી પોતે જ એક બદલાવનું પરિણામ : જયશંકર
પીએમ મોદીએ અડધી રાત્રે મને ફોન કર્યો : એસ. જયશંકર
દસ દિવસની યાત્રા પર અમેરિકા પહોંચેલા વિદેશમંત્રી એસ. જયશંકરે અફઘાનિસ્તાનથી ભારતીયોને બહાર કાઢવાના પ્રયાસને યાદ કરીને પીએમ મોદી નાં ખૂબ જ વખાણ કર્યા હતા. તેમણે કહ્યું કે તે સમયે પીએમ મોદીએ અડધી રાત્રે તેમને ફોન કર્યો હતો અને મિશન માટે જાણકારી આપી હતી. એસ. જયશંકર કોલંબિયા યૂનિવર્સિટીની સ્કૂલ ઓફ ઇન્ટરનેશનલ એન્ડ પબ્લિક અફેર્સનાં રાજ સેન્ટરમાં કોલંબિયા યૂનિવર્સિટીનાં પ્રોફેસર અને નીતિ આયોગનાં પૂર્વ વાઈસ ચેરમેન અરવિંદ પનગઢિયા સાથે વાતચીત કરી રહ્યા હતા.
#WATCH | NY, US: Recounting India's evacuation effort from Afghanistan, EAM Jaishankar says, "It was past midnight... PM called me, his first question was - "Jaage ho?"... I apprised him that help is on its way. He told me to call him when it's done... that's a singular quality." pic.twitter.com/AxL7Ddp6d6
પીએમ મોદીનો પહેલો સવાલ હતો - જાગો છો?
અફઘાનિસ્તાનથી ભારતીયોને કાઢવાના પ્રયત્નોને યાદ કરતા વિદેશમંત્રી એસ. જયશંકર કહે છે કે અડધી રાત થઇ હતી અને પીએમએ મને ફોન કર્યો. તેમનો પહેલો સવાલ હતો - જાગો છો? મેં જણાવ્યું કે મદદ રસ્તામાં છે. તેમણે મને કહ્યું કે જ્યારે મિશન પૂરું થઇ જાય, તો કોલ કરે. આ એક વિલક્ષણ ગુણ છે. એસ. જયશંકરે આગળ કહ્યું કે - પીએમએ જ્યારે ફોન કર્યો ત્યારે તેમણે કહ્યું કે સારું તો ટીવી જોઈ રહ્યા છો. પછી મેં કહ્યું કે હા, ટીવી જોઈ રહ્યો છું. ત્યાર બાદ તેમણે સવાલ કર્યો કે શું ચાલી રહ્યું છે ત્યાં? મેં જણાવ્યું કે એટેક ચાલી રહ્યો છે અને મદદ રસ્તામાં જ છે. અને પછી પીએમએ કહ્યું કે સારું, જ્યારે પૂરું થઇ જાય ત્યારે મને ફોન કરજો. ત્યાર બાદ મેં કહ્યું કે આમાં બે ત્રણ કલાક લાગશે, જ્યારે થઇ જશે ત્યારે હું તમને જણાવી દઈશ. પછી થોડી વાર અટકીને તેમણે કહ્યું કે મને ફોન કરી દેજો.
#WATCH | ...(PM) Modi himself is a product of change. The fact that someone like him eventually has become the PM of India, itself shows how much India has changed: EAM Dr S Jaishankar at a book discussion on 'Modi@20: Dreams Meet Delivery', in New York. pic.twitter.com/QS19Yz2N6S
પીએમ મોદી પોતે જ એક બદલાવનું પરિણામ : જયશંકર
વિદેશમંત્રી એસ. જયશંકરે ન્યુયોર્કમાં મોદી@20 : ડ્રીમ્સ મીટ ડીલીવરી પુસ્તક પર ચર્ચાને લઈને આયોજિત કાર્યક્રમમાં ભાગ લીધો હતો. તેમણે આ પુસ્તક ચર્ચામાં કહ્યું કે તમે પૂછો છો કે શું પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી બદલાવ લાવી શકે છે, પણ હું કહું છું કે પીએમ મોદી ખુદ જ બદલાવનું પરિણામ છે અને તેમના જેવું કોઈ વ્યક્તિ ભારતનાં પ્રધાનમંત્રી બની ગયા છે, આ જ દર્શાવે છે કે દેશ કેટલો બદલાઈ ગયો છે.