વિદેશમંત્રી એસ.જયશંકરે લોકસભામાં આજે એ વાત જણાવી જેને સાંભળીને આપને પણ ગર્વ થશે.
યુક્રેનમાં ચાલી રહેલા યુદ્ધ વિશે લોકસભામાં ચર્ચા
વિદેશમંત્રી જયશંકરે જણાવી રસપ્રદ વાત
દુનિયાનું સૌથી મોટુ ઓપરેશન ચલાવ્યું હોવાનો દાવો
વિદેશમંત્રી એસ.જયશંકરે લોકસભામાં આજે એ વાત જણાવી જેને સાંભળીને આપને પણ ગર્વ થશે. તેમણે કહ્યું કે, ભારતે યુક્રેનમાંથી લોકોને બહાર કાઢવા માટે જે રીતનું અભિયાન ચલાવ્યું, આટલુ મોટુ ઓપરેશન આજ સુધીમાં કોઈ દેશે ચલાવ્યું નથી. તેમણે એક રસપ્રદ વાત જણાવી કે, એક દેશના વિદેશમંત્રીએ તેમની સામે ગર્વ કરતા કહ્યું કે, તેમણે બે પ્લેન મોકલીને પોતાના નાગરિકોને યુક્રેનમાંથી પાછા લાવ્યા, પણ જ્યારે મને પૂછવામાં આવ્યું તો, કહ્યું કે, ભારતે ઓપરેશન ગંગા અંતર્ગત 901 પ્લેન મોકલીને નાગરિકોને લાવ્યા તો, તેમનું મોઢુ જોવા જેવુ થઈ ગયું હતું.
ભારતમાંથી પ્રેરણા લઈ રહ્યા છે બીજા દેશ- જયશંકર
વિદેશ મંત્રીએ આખી વાત જણાવતા કહ્યું કે, તેમની જે દેશના વિદેશ મંત્રી સાથે વાત થાય છે, તેઓ ક્યારેક ક્યારેક આશ્ચર્યચકિત થઈ જાય છે. તેમણે સદનમાં કહ્યું કે, અધ્યક્ષ મહોદય થોડા દિવસ પહેલા એક વિદેશ મંત્રી આવ્યા, તેમણે મને ગર્વથી કહ્યું કે, મેં બે પ્લેન મોકલીને યુક્રેનમાંથી અમારા નાગરિકોને લાવ્યા, આપે કેટલા પ્લેન મોકલ્યા. જ્યારે મેં કહ્યું કે, અમે 90 પ્લેન મોકલીને અમારા નાગરિકોને લાવ્યા. આગળ કહ્યું કે, બાકીના દેશો પણ આપણુ ઉદાહરણ જોઈ રહ્યા છે. એક રીતે જોવા જઈએ તો, આપણે તેમને પ્રોત્સાહિત કરી રહ્યા છીએ. તેમને લાગે છે કે, ભારત કરી રહ્યું છે તો આપણે પણ કરવું જોઈએ.
સૌથી પહેલા અને સૌથી મોટુ ઈવાકુએશન ઓપરેશન ભારતનું
જયશંકરે કહ્યું કે, ભારત યુક્રેનમાં ફસાયેલા નાગરિકોને બહાર કાઢવા માટે અભિયાન શરૂ કરનારો પ્રથમ દેશ હતો. તેમણે કહ્યું કે, હું ભાર આપીને કહી શકું શું છે કે, યુક્રેનમાંથી પોતાના નાગરિકોને બહાર કાઢવા માટે સૌથી પહેલા અભિયાન ભારતે ચલાવ્યું હતુ. તેમણે દાવો કર્યો હતો કે, અત્યાર સુધીમાં કોઈ દેશે ભારત જેટલું મોટુ ઓપરેશન નથી ચલાવ્યું. અમે આપણા 20 હજાર નાગરિકોને લાવ્યા અને બીજા દેશોના નાગરિકોને બહાર કાઢ્યા. આ કામ કોઈ અન્ય દેશે નથી કર્યું.