વિદેશ મંત્રી ડૉ. સુબ્રહ્મણ્યમ જયશંકરે સોમવારે કહ્યું કે પાસપોસ્ટ લેવામાં સુધારનો કાર્યક્રમ ચાલુ રહેશે અને જલ્દીથી દેશમાં ઇલેક્ટ્રોનિક ચિપ યુક્ત ઇ પાસપોર્ટ જારી થવાનું શરૂ થઇ જશે.
ડૉ. જયશંકરે દિલ્હીમાં જવાહરલાલ નહેરુ ભવનમાં પાસપોર્ટ સેવા દિવસ અને પાસપોર્ટ અધિકારીઓને સંમ્મેલનના ઉદ્ધાટન કાર્યક્રમને સંબોધિત કરતાં કહ્યું કે એમની પહેલાના વિદેશમંત્રી સુષમા સ્વરાજ તરફથી શરૂ કરવામાં આવેલા પાસપોર્ટ સેવાઓમાં ક્રાંતિકારી સુધારાઓને ચાલુ રાખવામાં આવશે.
એમને કહ્યું કે પોસ્ટ ઓફિસની મદદથી દેશમાં અત્યાર સુધી 413 પોસ્ટ ઓફિસ પાસપોર્ટ સેવા કેન્દ્ર ખોલવામાં આવી ચુક્યા છે. આ ઉપરાંત 93 પાસપોર્ટ કાર્યાલયોને મળીને 505 પાસપોર્ટ સેવા કેન્દ્ર દેશમાં વર્ષના આશરે એક કરોડ પાસપોર્ટ જારી કરી રહ્યા છે.
વિદેશ મંત્રીએ કહ્યું કે અમેરિકા અને ચીન બાદ ભારત વિશ્વમાં ત્રીજું સર્વાધિક પાસપોર્ટ જારી કરનાર દેશ બની ચુક્યો છે. દેશમાં આ સમયે આશરે આડા આઠ કરોડ નાગરિકની પાસે પાસપોર્ટ છે. એમને કહ્યું કે પાસપોર્ટ સેવામાં સુધાર, વિસ્તાર અને તમારા દ્વારના મંત્ર પર કામ થઇ રહ્યું છે.
દેશમાં દરેક લોકસભા ક્ષેત્રમાં ઓછામાં ઓછું એક પાસપોર્ટ સેવાકેન્દ્ર ખોલવાની યોજના છે. એમને એવું પણ કહ્યું કે જલ્દી ઇલેક્ટ્રોનિક ચિપ યુક્ત પાસપોર્ટ જારી કરવામાં આવશે. સૂત્રો પ્રમાણે ઇ પાસપોર્ટ આ જ વર્ષથી જારી થવા લાગશે.