ભારતે આતંકવાદ મુદ્દે પાકિસ્તાનની સાથે-સાથે ચીન પર આકરા વાકપ્રહાર કર્યા છે. સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદની આગેવાની કરનારા વિદેશ મંત્રી એસ જયશંકરે કહ્યું કે, લશ્કર-એ-તૈયબા અને જૈશ-એ-મોહમ્મદ જેવા આતંકવાદી સંગઠનો નિર્ભિકપણે પોતાની ગતિવિધિઓને અંજામ આપી રહ્યાં છે.
UNSCમાં ભારતે આતંકવાદ મુદ્દે પાક. અને ચીન કર્યા પ્રહાર
આતંકવાદી સંગઠનો નિર્ભિકપણે ગતિવિધિઓને આપે છે અંજામ
આંતરરાષ્ટ્રીય સમુદાયે આતંકીઓને રક્ષણ ના આપવુ જોઈએ
આતંકવાદીઓને રક્ષણ આપવાથી બચવુ જોઈએ
વિદેશ મંત્રીએ પાકિસ્તાની આતંકવાદીઓ દ્વારા કરવામાં આવેલા મુંબઈ હુમલા, પઠાણકોટમાં વાયુ સેનાના એરફોર્સ બેઝ અને પુલવામા હુમલાની યાદ અપાવતા કહ્યું કે, આંતરરરાષ્ટ્રીય સમુદાયે આતંકવાદીઓને રક્ષણ આપવાથી બચવુ જોઈએ.
જયશંકરે ઉચ્ચ સ્તરીય બેઠકને કર્યુ સંબોધન
સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદમાં એસ જયશંકરે પાકિસ્તાન અને ચીનનું નામ લીધા વિના આકરા પ્રહાર કર્યા. આ સાથે તેમણે કહ્યું કે, આપણે બે મોંઢાની વાતો કરનારા લોકોને ઉજાગર કરવા પડશે. જે એવા લોકોને સુવિધાઓ આપે છે, જેના હાથ નિર્દોષોના લોહીથી ખરડાયેલા છે. જયશંકરે આતંકવાદી કૃત્યોને કારણે આંતરરાષ્ટ્રીય શાંતિ અને સુરક્ષાને સંકટ વિષય પર એક ઉચ્ચ સ્તરીય બેઠકને સંબોધિત કરતા કહ્યું કે, પ્રતિબંધિત હક્કાની નેટવર્કની ગતિવિધિઓમાં વધારો આ વધતી ચિંતાને યોગ્ય ઠેરવે છે. આપણા પાડોશી દેશમાં આઈએસઆઈએસ વધુ શક્તિશાળી થયુ છે અને સતત પોતાનો પગપેસારો કરવાનો પ્રયાસ કરી રહ્યું છે.
આતંકવાદીઓને રક્ષણ ન આપવુ
તેમણે વધુમાં કહ્યું કે, પછી તે અફઘાનિસ્તાનમાં હોય અથવા ભારત સામે લશ્કર-એ-તૈયબા અને જૈશ-એ-મોહમ્મદ જેવા સંગઠનોને શરણ મળી છે અને તેઓ નિર્ભયપણે પોતાની ગતિવિધિઓને અંજામ આપી રહ્યાં છે. તેથી મહત્વનું છે કે સુરક્ષા પરિષદ આપણી સામે આવી રહેલી સમસ્યાઓ અંગે વ્યૂહાત્મક અથવા આત્મસંતુષ્ટ દ્રષ્ટિકોણ અપનાવે. અમે ક્યારેય આતંકવાદીઓને રક્ષણ આપ્યું નથી. પાકિસ્તાન પર પ્રહાર કરતી વખતે વિદેશ મંત્રીએ કહ્યું, જ્યારે અમે જોઈએ છીએ કે જેના હાથ નિર્દોષ લોકોના લોહીથી ખરડાયેલા છે, એવા લોકોને રાજકીય સન્માન મળી રહ્યું છે. તો આપણે એવા બેધારી નીતિ ધરાવનારા લોકોને ઉજાગર કરવાથી પાછળ હટવુ જોઈએ નહીં.