જૈશે- ઉલ- હિંદે દિલ્હીમાં ઈઝરાયલી દૂતાવાસની સામે થયેલા બ્લાસ્ટની જવાબદારી લીધી છે. કથિત રીતે મેસેન્જિંગ એપ ટેલીગ્રામમાં મેસેજના માધ્યમથી આની ખરાઈનો દાવો કરવામાં આવી રહ્યો છે.
વિસ્ફોટ બાદ કાલે રાતે ઈરાનની એક ફ્લાઈટમાં પણ મોડું થયું
આ મેસેજમાં કહેવામાં આવ્યું છે કે સર્વશક્તિમાન અલ્લાહની કૃપા અને મદદથી જૈશ ઉલ હિંદના સૈનિક દિલ્હીની એક હાઈ સિક્યોરિટી વિસ્તારમાં ધૂસણખોરી કરી IEDના હુમલાને સફળ બનાવી શક્યા. પ્રમુખ ભારતીય શહેરોને નિશાનો બનાવનારા હુમલાની આ એક શરુઆત છે. આ ભારતીય સરકાર દ્વારા કરવામાં આવેલા અત્યાચારોનો બદલો લેવામાં આવ્યો છે.
#WATCH | Delhi Police Special Cell team outside Israel Embassy in New Delhi where a low-intensity explosion took place yesterday. pic.twitter.com/mmpNbhDkV4
ત્યારે દિલ્હીમાં ઈઝરાયલી દૂતાવાસની પાસે સામાન્ય IED વિસ્ફોટ બાદ ધમાકા માટે ઉપયોગમાં લેવામાં આવેલા વિસ્ફોટકોની બે વાર તપાસ કરવામાં આવી છે. સૂત્રોનું કહેવું છે કે તપાસમાં સામે આવેલા ડિવાઈસમાં હાઈ ગ્રેડ મિલિટ્રી એક્સ્પ્લોસિવ PETN (pentaerythritol tetranitrate) મળી આવ્યા છે.
વિસ્ફોટ બાદ કાલે રાતે ઈરાનની એક ફ્લાઈટમાં પણ મોડું થયું
અધિકારીઓનું અનુમાન છે કે અલ કાયદા જેવા પ્રશિક્ષિત સમૂહોની પાસે આ ગ્રેડના વિસ્ફોટક ઉપલબ્ધ થવાની આશંકા છે. એક ISIS ગ્રુપે પણ હુમલાની જવાબદારી લેવાનો દાવો કર્યો હતો. પરંતુ એજન્સીઓ તેના સામેલ હોવાને લઈને હેરાન નથી. વિસ્ફોટ બાદ કાલે રાતે ઈરાનની એક ફ્લાઈટમાં પણ મોડું થયું અને તમામ પ્રવાસીઓની તપાસ કરવામાં આવી પરંતુ શંકાસ્પદ કોઈ મળ્યું નહોંતુ.