પાકિસ્તાન સમર્થિત આતંકી સંગઠન જૈશ- એ- મહોમ્મદ એક વાર ફરી જમ્મુ કાશ્મીરમાં આતંક અને જિહાદ ફેલાવવાની ફિરાકમાં લાગેલું છે. એ માટે તે અફઘાનિસ્તાનમાં પોતાના જૂના મિત્રો તાલિબાન અને અલકાયદાની મદદ લઈ રહ્યું છે. એક તરફ જ્યાં અફઘાનીસ્તનમાંથી અમેરિકા પોતાની બચેલી સેનાને પાછી બોલાવવાની તૈયારીમાં છે. ત્યારે બીજી તરફ અફઘાનીસ્તાનમાં જૈશ-એ-મોહમ્મદના સેંકડો આતંકવાદીઓ ત્યાં ટ્રેનિંગ સેન્ટરમાં હાજર છે. આ માહિતી ગુપ્તચર એજન્સીઓએ એક મીડિયા ગ્રુપને આપી છે. અફઘાનિસ્તાનમાં જૈશેને આ તમામ મદદ તાલિબાનના નવા હેડ મોહમ્મદ યાકૂબ તરફથી આપવામાં આવી રહી છે.
વર્ષમાં બાલાકોટમાં ભારતના હવાઈ હુમલા બાદ આતંકીઓને ઘરે મોકલી દેવામાં આવ્યા હતા
જૈશેને આ તમામ મદદ તાલિબાનના નવા હેડ મોહમ્મદ યાકૂબ તરફથી આપવામાં આવી રહી છે
બહાવલપુરમાં 2 લોકોએ ભારતીય અધિકારીઓના દાવાની પુષ્ટિ કરી
પાકિસ્તાનના પંજાબ પ્રાંતમાં બહાવલપુરમાં 2 લોકોએ ભારતીય અધિકારીઓના દાવાની પુષ્ટિ કરી છે. મીડિયા હાઉસને અનેક સ્થાનીય જૈશ આતંકવાદીઓએ જણાવ્યું કે તેમને ગત વર્ષમાં બાલાકોટમાં ભારતના હવાઈ હુમલા બાદ ઘરે મોકલી દેવામાં આવ્યા હતા. ત્યારે હાલના અઠવાડિયામાં તેમણે આસપાસના કસ્બા અને ગામનો છોડી દીધા છે.
બાલાકોટ હવાઈ હુમલા બાદ પાકિસ્તાને જાહેરાત કરી હતી કે તે બહાવલપુરમાં જૈશના મુખ્યાલય, મરકજ ઉસ્માન-ઓ-અલીને સરકારી પ્રશાસન હસ્તક કરી રહ્યો છે. જોકે બહાવલપુરના લોકોએ કહ્યું કે મદરેસા સામાન્ય રુપે કામ કરી રહ્યુ હતુ. અને જૈશ નેતાઓએ પંજાબ, ખૈબર, પખ્તૂનખ્વા તથા સિંધમાં મસ્જિદોમાં ધન ભેગુ કરવા માટે અને આતંકીઓની ભરતી સંબંધિત બેઠકો ફરી શરુ કરી હતી.
અફઘાની અધિકારઓએ લાંબાં સમયથી જૈશ અને લશ્કરના આતંકવાદીઓની સાથે તાલિબાની તાકાતોનો સામનો કરવાની સૂચના આપી છે. જેમાં સૈંકડો લોકો ભાગ લે છે. આ ગરમીમાં 1 હજારથી વધારે જૈશ અને લશ્કરના ફાયટરો તાલિબાનની સાથે લડી રહ્યા હતા. બદલમાં તાલિબાન અને તેમના અલ-કાયદાના સહયોગિઓએ જૈશની ટેક્નિકલ મદદ પુરી પાડી હતી. આનો ઉપયોગ નિયંત્રણ રેખાને ભેદવા માટે, જેપીએસ- નિર્દેશિત ડ્રોનથી લઈ, ભારતીય જિહાદીઓને તાલીમ આપવા માટે આત્મઘાતી અભિયાનોને ઓપ આપવા માટે ટેક્નોલોજી પુરી પાડી છે.