જમ્મૂ-કશ્મીરના પુલવામા હુમલામાં જૈશ-એ-મોહમ્મદનો હાથ હોવાનો ડોઝિયર ભારતે પાકિસ્તાનને સોંપ્યુ છે. આમ ડોઝિયર મળ્યા બાદ હવે પાકિસ્તાનનું નવુ જૂઠ સામે આવ્યું છે. પાકિસ્તાની સેનાના પ્રવક્તા આસિફ ગફૂરે કહ્યું કે, અમારા દેશમાં જૈશ-એ-મોહમ્મદનું કોઈ અસ્તિત્વ નથી.
પુલવામા હુમલાની જવાબદારી લેનારા જૈશ-એ-મોહમ્મદનો દાવો પાકિસ્તાનની ધરતી પરથી કરવામાં નહોતો આવ્યો. પાકિસ્તાનમાં જૈશ-એ-મોહમ્મદ છે જ નહીં. જ્યારે આતંકી સંગઠનનો વડો મસૂદ અઝહર પણ પાકિસ્તાનમાં નથી.
ઉલ્લેખનીય છે કે પાકિસ્તાન અને સંયુક્ત રાષ્ટ્રે જૈશ પર પ્રતિબંધ લગાવ્યો છે. અમે કોઈના દબાણમાં આવીને આ કાર્યવાહી કરતા નથી.
ઉલ્લેખનીય છે કે, અગાઉ પાકિસ્તાન વિદેશ મંત્રી શાહ મહમૂદ કુરૈશીએ કહ્યું હતું કે મસૂદ અઝહર પાકિસ્તાનમાં છે અને તે બીમાર હોવાથી સારવાર હેઠળ છે અને ઘરની બહાર પણ નીકળી શકે તેમ નથી.
જો ભારત અમને પુરાવા આપશે તો અમે કાર્યવાહી કરીશું. ત્યારે પાકિસ્તાની સેનાના પ્રવક્તાનું નિવેદન સૂચવે છે કે પાકિસ્તાન કેટલુ જૂઠ્ઠુ બોલે છે.
જ્યારે પાકિસ્તાની સેનાના પ્રવક્તા મેજર જનરલ આસિફ ગફૂરે સ્વીકાર કર્યો છે કે બંને દેશ યુધ્ધના મુકામ સુધી પહોંચી ગયા છે. પ્રવક્તા મેજર જનરલે જણાવ્યું કે જ્યારે ભારતે પાકિસ્તાનની વાયુસરહદમાં અતિક્રમણ કર્યું ત્યારે પાકિસ્તાને તેને વળતો જવાબ આપ્યો. ત્યારબાદથી બંને દેશો વચ્ચે યુધ્ધ થાય તેવું વાતાવરણ જોવા મળી રહ્યું છે.