ભારતનો મોસ્ટ વોન્ટેડ આંતકવાદી અને આતંકી સંગઠન જૈશ-એ-મોહમ્મદના મુખિયા મસૂહ અઝહર જીવતો છે. આ વાતની પુષ્ટિ પાકિસ્તાની મીડિયા મસૂદ અઝહરના પરિવારના સૂત્રો દ્વારા જણાવી છે. તે ઉપરાતં પાકિસ્તાની ન્યૂઝ ચેનલ જિયો ઉર્દૂ ન્યૂઝે પણે મસૂદ અઝહરની મોતની ખબરને ખોટી ગણાવી છે.
ભારત દ્વારા PoKમાં એર સ્ટ્રાઇક કર્યા પછી સમાચાર આવ્યા કે આતંકી સંગઠન જૈશના મુખિયા મસૂદની તબિયત લથડી ગઇ છે. અને તેને રાવલપિંડીની મિલેટ્રી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો છે. ત્યારપછી આ ન્યૂઝ રવિવારે સોશિયલ મીડિયા ઉપર ખૂબ ઝડપથી ફેલાઈ ગયા હતા કે મસૂદ અઝહરનું મોત થઈ ગયું છે. જોકે ત્યારપછી પાકિસ્તાની મીડિયાએ આ ન્યૂઝ નકારી દીધા હતા. જોકે વાસ્તવિકતા વિશે હજી કોઈ ચોક્કસ પુષ્ટિ થઈ નથી.
પાકિસ્તાની ન્યૂઝ ચેનલે સંસદ હુમલાના મુખ્ય આરોપી આતંકી મસૂદના પરિવારના નજીકના અજ્ઞાત સૂત્રો દ્વારા જણાવ્યું છે કે, મસૂદ અઝહર જીવતો છે. જોકે હજી તેના સ્વાસ્થય વિશેની કોઈ માહિતી મળી નથી. બીજી બાજુ પાકિસ્તાનની ઈમરાન ખાન સરકારે પણ મૌન ધારણ કરી લીધું છે. સૂચના મંત્રી ફવાદ ચૌધરીએ અઝહરના મોતના મીડિયા રિપોર્ટ વિશે કઈ પણ જણાવવાનો ઈન્કાર કરી દીધો છે અને કહ્યું છે કે, ''મને હાલ આ વિશે કંઈજ ખબર નથી.''
નવી દિલ્હીમાં ભારતીય ઈન્ટેલિજન્સ એજન્સીઓ દ્વારા આતંકી મસૂદ અઝહરની મોત વિશે સોશિયલ મીડિયા ઉપર ચાલી રહેલી ખબરો વિશે માહિતી મેળવવાનો પ્રયત્ન શરૂ કરી દીધો છે. ભારતીય અધિકારીઓએ કહ્યું છે કે, અઝહરની સેનાની એક હોસ્પિટલમાં ઈલાજ ચાલી રહ્યો છે અને તેની કિડનીની તકલીફ છે. તેમની પાસે આ સિવાય વધુ કોઈ માહિતી નથી.
કોણ છે અઝહર:
ભારતના મોસ્ટ વોન્ટેડ આંતકી મસૂદ અઝહર પાકિસ્તાનના પંજાબ પ્રાંતમાં બહાવલપુરમાં રહેનાર છે, તેણે 2000મે જૈશ-એ-મોહમ્મદ આતંકી સંગઠન બનાવ્યુ હતુ. વર્ષ 1999માં તાત્કાલીન એનડીએની સરકારે હાઇજેક કરેલા ઇન્ડિયન એરલાઇન્સના વિમાન આઇસી 814મા છોડાવવાના બદલામાં અઝહરને છોડી દીધો હતો. તમને જણાવી દઇએ કે 50 વર્ષના આતંકી મસૂદ પર 2001માં ભારતીય સંસદ પર હુમલાનુ ષડયંત્ર રચવાનો , જમ્મૂ-કાશ્મરી વિધાનસભા પર આત્મઘાતી હુમલો અને પઠાણકોટ વાયુ સેના કેન્દ્ર તથા પુલવામા આતંકી હુમલાનું ષડયંત્ર રચવાનો આરોપ છે.
જમ્મૂ-કાશ્મીરમા પુલવામા થયેલા આતંકી હુમલામાં CRPF 40 જવાનો શહીદ થયા પછી ભારતીય વાયુસેનાએ પાકિસ્તાનના બાલાકોટમાં આતંકી સંગઠન જૈશ-એ-મોહમ્મદ આંતકી અડ્ડાઓને નિશાનો બનાવ્યા, જે પછી સરકારે પાકિસ્તાનની જમીન પર ચાલી રહેલા આંતકી અડ્ડાઓને તબાહ કરવાનો દાવો કરવાની વાતની સફળતા મળવાની વાત કરી. તો બીજી તરફ
પાકિસ્તાનના વિદેશ મંત્રી મહમૂદ કુરૈશી અનુસાર, ''જૈશના પ્રમુખ અઝહર પાકિસ્તાનમાં છે તેની સ્થિતિ ગંભીર છે.'' તેમણે કહ્યુ કે, ''જો ભારત પુરાવા આપે તો પાક સરકાર તેના વિરુદ્ઘ કાર્યવાહી કરી શકે છે. '' કુરૈશીએ કહ્યુ કે, ''મારી જાણકારી અનુસાર તે પાકિસ્તાનમાં છે. તે કેટલો બીમાર છે કે પોતાના ઘરેથી નીકળી શકતો નથી.''