પાકિસ્તાનની ISI ભારતમાં મોટા પાયે હુમલા કરાવવા માટે જૈશ-એ-મોહમ્મદ અને ISISઆ આતંકીઓને નજીક લાવી રહી છે. કેન્દ્રીય ગુપ્તચર એજન્સીએ ગૃહમંત્રાલયને મોકલેલા એક અહેવાલમાં આમ જણાવાયું છે. ISISએ થોડા દિવસો પહેલા જ અફઘાનિસ્તાનમાં જૈશ અને ISISના આતંકવાદીઓ વચ્ચે બેઠક કરાવી હોવાની ચોંકાવનારી માહિતી સામે આવી છે. જોઈએ આ અંગેનો અહેવાલ.
ભારતમાં હુમલા કરવાનું ષડયંત્ર
પાકિસ્તાનની ISI ભારતમાં મોટા પાયે હુમલા કરાવવા માટે જૈશ-એ-મોહમ્મદ અને ISISઆ આતંકીઓને નજીક લાવી રહી છે. એટલું જ નહીં ISIS જૈશ અને તલિબાનીઓ વચ્ચે પણ બેઠક કરાવવા માટે છેલ્લા કેટલાક સમયથી મથામણ કરી રહી છે.
જેથી કરીને કશ્મીરમાં પુલવામા જેવા વધુમાં વધુ હુમલા કરાવી શકે. ગૃહ મંત્રાલયના એક અધિકારીના જણાવ્યા પ્રમાણે જૈશના આતંકી અફઘાનિસ્તાનમાં તાલિબાની આતંકીઓ સાથે છેલ્લા ઘણા સમયથી નાટો ફોર્સિસ વિરૂદ્ધ લડાઈ લડી રહ્યાં છે અને તેના પર નજર રાખી રહ્યાં છીએ, પણ જે રીતે જૈશ અને ISIS વચ્ચે તાલમેલ વધારવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે તેનાથી લાગે છે કે, ISIS ભારત વિરૂદ્ધ કંઈક મોટું ષડયંત્ર રચી રહી છે.
મસૂદ અઝહર થયો સક્રીય
બાલાકોટમાં ભારતીય વાયુસેના તરફથી કરાવામાં આવેલી એરસ્ટ્રાઈક બાદ ફરી એકવાર જૈશ એ મૌહમ્મદનો ચીફ મસૂદ અઝહર સક્રીય થઈ ગયો છે. છેલ્લા કેટલાક દિવસોમાં મસૂદ અઝહર જૈશના આતંકીઓ સાથે બેઠક યોજી ભારત પર પુલવામા જેવા વધુ એક હુમલા માટે તૈયાર રહેવા કહ્યું હતું.
ગુપ્તચર અહેવાલ પ્રમાણે મસૂદ અઝહરે છેલ્લા કેટલાક દિવસ પહેલા બહાવલપુરમાં જૈશમાં અનેક મોટા આતંકવાદી હુમલા માટે જૈશની તૈયારીઓ જાણી હતી. એટલું જ નહીં જૈશના બહાવલપુર કેમ્પમાં બેઠક દરમિયાન મસૂદે ભારત પર પુલવામા જેવા અને મોટા આતંકી હુમલા માટે તૈયાર રહેવા જણાવ્યું છે. આ વાતથી સાબિત થાય છે કે, આતંકવાદની ફેક્ટરી બની ગયેલા પાકિસ્તાન પર વૈશ્વિક દબાણની કોઈ જ અસર વર્તાતી નથી.