આતંકી હુમલાને લઈને દેશની રાજધાની દિલ્હીમાં એલર્ટ અપાયું છે. દિલ્હીની સુરક્ષા વધારી દેવામાં આવી છે. આતંકી સંગઠન જૈશ-એ-મહોમ્મદ અને લશ્કર એ તૈયબાના આતંકી ઘૂસ્યાના ઇનપૂટને પગલે સુરક્ષા સઘન કરવામાં આવી છે.
દિલ્હીમાં જૈશ એ મહોમ્મદ અને લશ્કરના આતંકી ઘૂસ્યાનું અલર્ટ
દિલ્હી પોલીસે બોર્ડર વિસ્તારમાં સઘન તપાસ
એક-એક વાહનની થઇ રહી છે તપાસ
દિલ્હી પોલીસને મળેલી માહિતી મુજબ દિલ્હીમાં 4 આતંકી ઘૂસ્યા હોય શકે છે. જેથી દિલ્હીમાં દરેક વાહનોની તપાસ થઇ રહી છે. દિલ્હીની બોર્ડરો પર પોલીસનુ ચેકિંગ ચાલુ છે. ચોતરફ ચેકિંગ કરવામાં આવી રહ્યું છે.
રિપોર્ટ અનુસાર, આતંકવાદીઓ પાસે હથિયાર પણ છે. દિલ્હી પોલીસે બોર્ડર વિસ્તારમાં તપાસ શરૂ કરી દીધી છે. ખાસ કરીને ગેસ્ટહાઉસ અને હોટેલ્સમાં સઘન તપાસ કરવામાં આવી રહી છે. તો બસ સ્ટેશન અને રેલ્વે સ્ટેશન પર પોલીસે તપાસ હાથ ધરી છે. દિલ્હી પોલીસે મકાન માલિકોને કડક સૂચના આપી છે કે ભાડૂઆતની તમામ વિગતો લઇને ઘર ભાડે આપવા. લોજ અને ગેસ્ટ હાઉસમાં પણ રૂમ ભાડે લેનારાની વિગતો મેળવવાની સૂચના અપાઇ છે.
Jammu and Kashmir: Cordon and search operation launched by joint forces at Zadibal area of Srinagar following inputs about presence of terrorists in the area. Mobile internet services snapped in Srinagar area. More details awaited.
શક્યતા એવી પણ છે કે આતંકી હથિયાર લઇને ઘૂસ્યા છે. દિલ્હીમાં આતંકી હુમલાની દહેશતે દિલ્હીના તમામ DCP, સ્પેશયલ સેલ, ક્રાઇમ બ્રાંચને અલર્ટ અપાયું છે. ઉલ્લેખનિય છે કે આ મહિનામાં 3 શંકાસ્પદ આતંકવાદી ખ્વાઝા મોઇનુદ્દીન, સૈયદ અલી નવાઝ અને અબ્દૂલ સમદ ઉર્ફ નૂરની ધરપકડ કરી હતી. આ ત્રણેયની પૂછપરછમાં જાણ થઇ છે કે આ લોકોને દિલ્હીમાં કંઇક મોટું કરવા માટે મોકલવામાં આવ્યા હતા.