દેશમાં આતંકવાદી હુમલાનું મોટું એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. પ્રાપ્ત માહિતી મુજબ, પાકિસ્તાનના ઈશારે ચાલતુ આતંકવાદી સંગઠન જૈશ-એ-મોહમ્મદ દેશને હચમચાવવાનું કાવતરૂ રચી રહ્યું છે.
દેશમાં આતંકવાદી હુમલાનું મોટું એલર્ટ જાહેર
જૈશ-એ-મોહમ્મદ રચી રહ્યું છે દેશને હચમચાવવાનું કાવતરૂ?
આઈડી બ્લાસ્ટ દ્વારા મોટા હુમલાને અંજામ આપવાની ફિરાકમાં
આઈડી બ્લાસ્ટ દ્વારા હુમલો કરવાની ફિરાકમાં
સુત્રો મુજબ, જૈશના 5 આતંકવાદી POKના માર્ગે થઈને જમ્મુ-કાશ્મીરમાં ઘુસણખોરી કરવાનો પ્રયાસ કરી રહ્યાં છે. જે આઈડી બ્લાસ્ટ દ્વારા કોઈ મોટા હુમલાને અંજામ આપવાની ફિરાકમાં છે.
ગુપ્તચર એજન્સીઓએ આપી ચેતવણી
ગુપ્તચર એજન્સીઓના એલર્ટના ઈનપુટ મળ્યાં બાદ કડક સુરક્ષા બંદોબસ્ત કરી દેવામાં આવ્યો છે. મહત્વનું છે કે, એક અગ્રગણ્ય ન્યૂઝ પોર્ટલને એલર્ટ અંગેની માહિતી છે. જેમાં કહેવામાં આવ્યું છે કે, જૈશ-એ-મોહમ્મદના 5 આતંકવાદી પાકિસ્તાન અધિકૃત કાશ્મીરના JANDROT વિસ્તારમાં છે. આ બધા ત્રાસવાદીઓની સાથે એક ગાઈડ પણ છે.
સુરક્ષાદળો છે નિશાને
ઈન્ટેલિજન્સ ઈનપુટ મુજબ, આતંકવાદી સુરક્ષાદળોને નિશાન બનાવી શકે છે. આતંકવાદીઓએ સતત ફોરવર્ડ લોકેશન અને LoCની પાસે રેકી કરી છે. આ એલર્ટને દરેક લોકોએ ખૂબ જ ગંભીરતાપૂર્વક લીધુ છે. મહત્વનું છે કે, જ્યારથી અફઘાનિસ્તાનમાં સ્થિતિ નિયંત્રણ બહાર થઈ છે તથા કાબુલ એરપોર્ટ પર થયેલા મોટા વિસ્ફોટ બાદ ગુપ્તચર એજન્સીઓ પહેલાથી વધુ એલર્ટ થઈ ગઈ છે. તો ત્રાસવાદી સંગઠન હવે ભારતમાં આતંકવાદી હુમલાની રૂપરેખા ઘડી રહ્યું છે.