કોંગ્રેસના નેતા જયરામ રમેશે કહ્યુ કે, ''પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના શાસનના મોડલને સંપૂર્ણ રીતે નકારાત્મક ગણાવવું, તેમના કામનુ મહત્વનું સ્વીકાર ના કરી અને દરેક સમયે ખલનાયક રીતે રજૂ કરવાથી કંઇ મળવાનું નથી.''
જયરામ રમેશે બુધવારે કહ્યુ કે, ''આ સમય છે જ્યારે અમે મોદીન કામ અને 2014-2019 વચ્ચે તેમણે જે કર્યુ છે તેનુ મહત્વ સમજીએ, જેના કારણે જ તેઓ સત્તા પર પરત ફર્યા છે. આજ કારણે 30% મતદાતાઓએ તેમની સત્તામાં વાપસી કરાવી છે. લોકસભા 2019ની ચૂંટણીમાં ભાજપને 37.4% વોટ મળ્યા જ્યારે NDAને કુલ મળીને 45% વોટ મળ્યા હતા.''
જયરામ રમેશે રાજનીતિક નિષ્ણાક કપિલ સતીશ કોમરેડ્ડીની બુક 'મૉલવોલેન્ટ રિપબ્લિક: અ શોર્ટ હિસ્ટ્રી ઑફ ધ ન્યૂ ઇન્ડિયા' ના વિમોચન સમયે આ વાત કરી હતી. કોંગ્રેસના નેતાએ કહ્યુ કે, ''તેઓ (મોદી) એવી ભાષામાં વાત કરે છે જે લોકોને જોડે છે. જ્યાં સુધી આપણે માની નહી લઇએ કે, આમ કરવા માટે જનતા તેમને મદદ કરી રહી છે અને જે પહેલા નથી કર્યા, ત્યાં સુધી આપણે આ વ્યકિતની સાથે સરખામણી ના કરી શકીએ.''
કોંગ્રેસ નેતાએ આગળ કહ્યુ કે, ''જો તમે દરેક વખતે તેમને ખલનાયક તરીકે રજૂ કરશો તો પણ તમે તેમનો મુકાબલો કરી શકશો નહીં.'' મનમોહન સિંહ સરકારમાં ગ્રામીણ વિકાસ પ્રધાન રહેલા જયરામ રમેશે વધુમાં જણાવ્યું હતું કે, ''હું એમ કહી રહ્યો નથી કે પ્રધાનમંત્રીના કાર્યોની પ્રશંસા કરવામાં આવે પણ તેમના શાસનના મોડેલને સ્વીકારવામાં આવે.''
કર્ણાટકના રાજ્યસભા સાંસદ જયરામ રમેશે મોદી સરકારની પ્રધાનમંત્રી ઉજ્જવલા યોજના(પીએમયુજી)ની પ્રશંસા કરતા જણાવ્યું હતું કે, ''આ યોજનાને કારણે મોદી લાખો મહિલાઓમાં લોકપ્રિય બની ગયા છે. 2014માં જે મહિલાઓ મોદીને સમર્થન આપતા ન હતા તેઓ પણ તેમના સમર્થનમાં આવી ગયા છે.'' જયરામ રમેશે ફરી એક વખત જણાવ્યું હતું કે ''જ્યારે શાસનના અર્થશાસ્ત્રની વાત આવે છે ત્યારે મોદીનું શાસન મોડેલ સંપૂર્ણપણે નકારાત્મક નથી.''