કોરોના વેક્સિનને લઈને ફરી એકવાર કેન્દ્ર અને કોંગ્રેસની વચ્ચે વિવાદો શરૂ થઈ ચૂક્યાં છે. કોંગ્રેસ નેતા જયરામ રમેશે રાજીવ ચંદ્રશેખર પર તીખા પ્રહારો કર્યાં છે.
કોવિડ વેક્સિનને લઈને ભાજપ-કોંગ્રેસ ફરી આમને-સામને
રાજીવ ચંદ્રશેખરના આરોપો પર બોલ્યાં જયરામ રમેશ
કહ્યું જૂઠાં આરોપો લગાવવામાં આવ્યાં છે
ભાજપ અને કોંગ્રેસની વચ્ચે કોરોના વેક્સિનને લઈને ફરી એકવાર વિવાદ ગરમાયો છે. કેન્દ્રીય મંત્રી રાજીવ ચંદ્રશેખરે કોંગ્રેસ પર વિદેશી કોવિડ વેક્સિનનાં ઉપયોગને પ્રમોટ કરવાનો આરોપ લગાડ્યો છે. જેનો પલટવાર કરતાં હવે કોંગ્રેસનાં વરિષ્ઠ નેતા જયરામ રમેશે ચંદ્રશેખરને કહ્યું કે 'ચિંકણા થાંભલા પર ચડવાની તમારી મહત્વકાંક્ષા તમને વધુ જૂઠાંણા ન બનાવી દે જેટલા તમે છો'
.@Rajeev_GoI,as Minister concerned with regulating social media, you’ve misused it atrociously to peddle lies on me & my colleagues @PChidambaram_IN. We won’t take it lying down, meanwhile I wanted to call you out for what you really are. Will Twitter have the guts to expose you? https://t.co/2ZEeGIwY08
ટ્વીટ કરી રાજીવ ચંદ્રશેખર પર કર્યાં પ્રહારો
તેમણે ટ્વીટ પર લખ્યું કે કેન્દ્રીય મંત્રી હોવા છતાં તમે સોશિયલ મીડિયાનો દુરુપયોગ કરીને મારા અને મારા સાથીમિત્રો પર જૂઠાં આરોપો લગાવ્યાં છે. તેમણે ચિદમ્બરમને ટેગ કરતાં લખ્યું કે આપણે એક પણ જૂઠાંણાની સામે નમશું નહીં. હું ઈચ્છું છું કે તમે બોલો કે તમે ખરેખર શું છો...શું Twitterમાં એટલી હિમ્મત છે કે તે તમને બેનકાબ કરી શકે?
Just to remind all Indians, that Pfizer tried to bully Govt of India into accepting conditions of indemity
And Cong trio of Rahul, Chidamabaram n Jairam Ramesh kept pushing case of foreign vaccines during Covid 🤮🤬🥵 https://t.co/nT5LHI07hc
રાજીવ ચંદ્રશેખરે કોંગ્રેસ પર લગાવ્યાં આરોપો
કેન્દ્રીય ઈલેક્ટ્રોનિક્સ અને ટેકનોલોજી રાજ્યમંત્રી રાજીવ ચંદ્રશેખરે શુક્રવારે ટ્વીટ કરી કોંગ્રેસનાં નેતાઓ પર વિદેશી દવા કંપનીઓની લોબિંગ કરવાનો આરોપ લગાવ્યો હતો. તેમનો આરોપ હતો કે કોંગ્રેસ નેતા રાહુલ ગાંધી, પી.ચિદંબરમ અને જયરામ રમેશ કોવિડનાં સમયે વિદેશી રસીઓ પર વધૂ ભાર મૂકતાં હતાં.
ચિદંબરમે વિદેશી રસીને લઈને કર્યુ ટ્વીટ
કોંગ્રેસ નેતા પી ચિદંબરમે કોરોના મહામારીની વચ્ચે 27 ડિસેમ્બર 2021નાં ટ્વીટ કર્યું હતું કે ભારતમાં માત્ર 3 રસીઓ છે- કોવિશીલ્ડ, કોવેક્સિન અને સ્પૂતનિક. મોદી સરકારની સંરક્ષણવાદી નીતિને લીધે ફાઈઝર, મૉડર્નાની રસીઓ ભારતથી બહાર છે.