દિલ્હી વિધાનસભા ચૂંટણીમાં કોંગ્રેસનો કારમો પરાજય થયો હતો. આ એવી જ છે જે 2015માં મળી હતી. પાર્ટીની એક પણ સીટ પર જીત થઇ નહીં. આ હારને લઇને કોંગ્રેસ પાર્ટીની અંદર હડકંપ જોવા મળી રહ્યો છે. જેમાં જ્યોતિરાદિત્ય સિંધિંયા, હરિયાણાના પૂર્વ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર હુડ્ડા, જયરામ રમેશ સહિત નેતાઓએ હાઇકમાન્ડ ઉપર સવાલ ઉઠાવ્યાં છે.
દિલ્હી વિધાનસભા ચૂંટણીમાં હાર બાદ કોંગ્રેસમાં મંથન
જ્યોતિરાદિત્ય સિંધિયા સહિત નેતાઓએ ઉઠાવ્યાં સવાલ
પાર્ટીએ રણનીતિ બદલવા હુડ્ડાએ આપ્યું જોર
જ્યોતિરાદિત્ય સિંધિયાએ પાર્ટીની રણનીતિ બદલવા તેમજ ભૂપેન્દ્ર હુડ્ડાએ કોંગ્રેસ પ્રભારી પીસી ચાકો પર નિશાન તાક્યું છે. પૂર્વ કેન્દ્રિય મંત્રી રહેલા સિંધિયાએ કહ્યું હાર ઘણી શરમજનક રહી છે. કોંગ્રેસે એક નવી રણનીતિની સાથે આગળ વધવાની જરૂરિયાત છે. દેશમાં બદલાવ આવ્યો છે અને હવે આપણે પોતાને દેશના આ બદલાવ સાથે જવું જોઇએ.
જ્યારે હરિયાણાના પૂર્વ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર હુડ્ડાએ કહ્યું કે આ ચિંતાની વાત છે, હાર પર આત્મમંથન થવું જોઇએ અને નીતિ બનાવી જોઇએ. લોકો ભાજપને હરાવવા ઇચ્છતાં હતા ત્યારે જ એક જગ્યા થઇ ગઇ પરંતુ દેશને કોંગ્રેસની પણ જરૂરિયાત છે.
કોંગ્રેસની શરમજનક હાર તેમજ બિહાર અને ઉત્તર પ્રદેશ જેવા રાજ્યોમાં પાર્ટીની ખરાબ હાલત પર ચિંતા વ્યક્ત કરતાં વરિષ્ઠ કોંગ્રેસ નેતા જયરામ રમેશે કહ્યું કે પાર્ટીએ કડક વલણ અપનાવી પુનરાવલોકન કરવું જોઇએ.
દિલ્હીમાં સતત બીજી વખત કોંગ્રેસની એક પણ બેઠક પર જીત થઇ નથી. પાર્ટી નેતાઓ વચ્ચે આરોપ-પ્રત્યારોપ કરવામાં આવી રહ્યાં છે. ચૂંટણી પરિણામ પછી કોંગ્રેસ અધ્યક્ષ સુભાષ ચોપડા અને દિલ્હીના પ્રભારી પદ પરથી પીસી ચોકોએ રાજીનામાં આપી દીધા. કોંગ્રેસ અધ્યક્ષ સોનિયા ગાંધીએ બંનેના રાજીનામાં સ્વીકાર કરી લીધા છે.