સર્જિકલ સ્ટ્રાઇક તો સરહદ પર થાય છે અને સૌથી વધારે સેનાના મામલે જોવા મળે છે. ઉરીની સર્જિકલ સ્ટ્રાઇક પછી આ શબ્દ સામાન્ય થઇ ગયો છે. કોઇને કોઇ પાર્ટી અથવા નેતા સર્જિકલ સ્ટ્રાઇક અંગે બોલતા હોય છે. એકબીજાની નિંદા કરવાની હોય તો પણ નેતાઓ સર્જિકલ સ્ટ્રાઇકનો સહારો લે છે.
કોંગ્રેસ નેતા જયરામ રમેશે વડાપ્રધાન નરેન્દ્ર મોદી પર નિશાન સાંધ્યું છે. જયરામ રમેશે કહ્યું કે પીએમ મોદીને આવી સ્ટ્રાઇક કરવાનો ઘણો શોખ છે. પીએમ મોદી ક્યારેક સરહદ પર તો ક્યારેક અંતરિક્ષમાં સ્ટ્રાઇક કરવાની વાત કરે છે. જો કોંગ્રેસ પાર્ટી સત્તામાં આવી તો પાંચ સર્જિકલ સ્ટ્રાઇક કરશે, જેને દુનિયા જોતી રહી જશે.
કોંગ્રેસ નેતા જયરામ રમેશે જણાવ્યું કે કોંગ્રેસ પાર્ટી સત્તામાં આવે છે તો એક નહીં પરંતુ પાંચ-પાંચ સર્જિકલ સ્ટ્રાઇક કરશે. પહેલી સ્ટ્રાઇક બેરોજગારી પર થશે. દેશમાં યુવાઓને તેમની યોગ્યતા મુજબ રોજગાર મળશે. નોટબંધી બાદ દેશમાં જે લોકોને મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો તેના પર બીજી સ્ટ્રાઇક થશે.
ખેડૂતો સાથે ખરાબ વર્તન કરવામાં આવી રહ્યું છે. તેઓ આત્મહત્યા જેવું પગલુ ઉઠાવવા મજબૂર બની રહ્યાં છે. તેમની સમસ્યાઓ પર ત્રીજી સ્ટ્રાઇક કરાશે. શિક્ષા અને સ્વાસ્થ્ય ક્ષેત્રમાં આવી રહેલી મુશ્કેલીઓને દુર કરવા ચોથી સ્ટ્રાઇક કરાશે. જ્યારે અંતિમ પાંચમી સ્ટ્રાઇક એવા લોકો પર કરાશે જેઓ દેશના ગરીબ લોકોનું ધન લૂંટીને વિદેશમાં ભાગી ગયા છે.