બ્રેકિંગ ન્યુઝ
RCBvSRH: રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરની 35 રને જીત, RCB 206/7 (20), SRH 171/8 (20)
108 ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે સી આર પાટીલની મુલાકાત, ક્ષત્રિય સમાજનો રોષ માત્ર પરશોત્તમ રૂપાલા સામે છે, ઘણા આગેવાનો રાજકોટ સભા ગયા હતા તે મળવા માટે આવ્યા છે, તેમણે કહ્યું છે કે રોષ ભાજપ સામે કે નરેન્દ્ર મોદી સામે નથી, માત્ર રૂપાલા સામે છે
ક્ષત્રિય સમાજને ફરી અપીલ કરું છે કે તમારી લાગણી દુભાઈ છે ક્ષમા આપવા અમારી વિનંતી છે: સી આર પાટીલ
રાજસ્થાનના જેસલમેરમાં વાયુસેનાનું ટોહી વિમાન ક્રેશ થયું, ઢાણીના જજિયા ગામ પાસે ક્રેશ થયા બાદ વિમાન આગમાં ખાક, ટોહી વિમાન માનવ રહિત વિમાન છે
વધુ એકવાર કચ્છની ધ્રૂજી ધરા, કચ્છના ગઢશીશામાં અનુભવાયો ભૂકંપનો આંચકો, રિક્ટર સ્કેલ પર 2.9ની નોંધાઈ તીવ્રતા, ગઢશીશાથી 27 કિ.મી. દૂર નોંધાયું ભૂકંપનું કેન્દ્રબિંદુ
વડોદરાના હરણી તળાવમાં દુર્ઘટના કેસ: ગુજરાત હાઇકોર્ટે ખાતાકીય અને આર્થિક તપાસના આપ્યા આદેશ, શહેરી વિકાસ વિભાગના પ્રિન્સિપલ સેક્રેટરી કરશે તપાસ ,18 જાન્યુઆરીએ હરણી દુર્ઘટનામાં 12 બાળકો અને 2 શિક્ષકો સહિત 14 લોકોના થયા હતા મોત
VTV / Assembly election 2023 / ગુજરાત / Politics / રાજકોટ / Jairaj Singhs threat AnirudhSingh Jadeja will make a press confrans Gondal seat tomorrow
Kishor
Last Updated: 06:45 PM, 28 November 2022
ચુંટણી ટાણે ગુજરાતનું રાજકારણ ગરમાયુ છે. ગોંડલમાં જયરાજસિંહની ધમકી બાદ અનિરુદ્ધસિંહ મેદાનમાં આવ્યા છે. જેમાં ગોંડલના દેરજી કુંભાજી ગામમાં અનિરુદ્ધસિંહે સભા યોજી જયરાજસિંહ વિરુદ્ધ આકરા પ્રહારો કર્યા હતા. ત્યારબાદ હવે રીબડાના અનિરુદ્ધસિંહ જાડેજા દ્વારા આવતીકાલે પત્રકાર પરિષદનું આયોજન કરવામાં આવ્યું છે. જેને લઇને અનિરુદ્ધસિંહ જાડેજાની 'પ્રેસ' પર સહુની મીટ મડાઈ છે.આ પત્રકાર પરિષદમાં આવતીકાલે કોંગ્રેસના સમર્થન અંગે સ્પષ્ટ ચિત્ર થઇ શકે છે.
ક્ષત્રિય સમાજના બે અગ્રણીઓની ટકરાવ છે ચર્ચામાં
ગોંડલમાં ટિકિટને લઇને લાગેલી અસંતોષની આગ હજુ પણ ઠરવાનું નામ લેતી નથી. જયરાજસિંહ જાડેજા અને અનિરુદ્ધસિંહ જાડેજા વચ્ચે ભાજપમાંથી ટીકિટની ખેંચતાણ જામી હતી. ત્યારબાદ શ્રત્રિયસમાજના 2 અગ્રણીઓનો ટકરાવ ભારે ચર્ચામાં છે. ત્યારે ચુંટણી માથે છે. ત્યારે અનિરૂદ્ધસિંહ કોંગ્રેસને જાહેરમાં સમર્થન આપે તો નવાઇ નહિ!
ગોંડલમાં જયરાજસિંહની ધમકી બાદ અનિરુદ્ધસિંહ મેદાનમાં આવ્યા છે. અનિરુદ્ધસિંહે ગોંડલમાં જયરાજસિંહ વિરુદ્ધ ગોંડલના દેરજી કુંભાજી ગામમાં સભા સંબોધી હતી. આ દરમિયાન રિબડાના અનિરુદ્ધસિંહ ખુલીને જયરાસિંહનો વિરોધ કર્યો હતો. અનિરુદ્ધસિંહે કોંગ્રેસને મત આપવા આપવા લોકોને હાંકલ કરતા રાજકારણ ગરમાયુ છે. આ સભામાં તેમણે જયરાજસિંહ આકરા પ્રહારો પણ કર્યા હતા.
અનિરુદ્ધસિંહએ કર્યા આકરા આક્ષેપો
બંધારણ બચાવો મહાસંમેલનના નેજા હેઠળ સભા યોજાઇ હતી. જેમાં અનિરુદ્ધસિંહએ ખુલ્લેઆમ આક્ષેપ કરતા કહ્યું હતું કે આ પંથકમાં જયરાજસિંહની ગેંગ દલિત પર અત્યાચાર કરી રહી છે. વધુમાં ગોંડલમાં જેલર સામે ખોટો ગુનો દાખલ કરવામાં આવ્યો હોવાનો પણ ઉલ્લેખ કર્યો હતો. ગોંડલની ચૂંટણીમાં અનિરુદ્ધસિંહ અને જયરાજસિંહ સામ સામે થતાં હવે આ લડાઇના ભાજપે માઠા પરીણામ ભોગવવા પડશે કે કેમ તે જોવું રહ્યું !
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.
સૌથી વધુ વંચાયેલું
ધર્મ / હનુમાન દાદા આ 4 રાશિઓને બનાવશે ધનવાન, જન્મોત્સવ બાદ ઉઘડશે ભાગ્ય, રૂપિયે રમશો
Hanuman Jayanti 2024
IPL 2024 / વિરાટ કોહલી અને ગૌતમ ગંભીરના આ 'ગંભીર' વીડિયો પર વિશ્વાસ કરવો મુશ્કેલ, ગ્રાઉન્ડમાં ચર્ચા ખૂબ જામી
Gautam Gambhir
લોકસભા ચૂંટણી 2024 / કોંગ્રેસના ઉમેદવારોને 15 કરોડ આપીને..' VTV સાથેની ખાસ વાતમાં જુઓ શું શું બોલ્યા શક્તિસિંહ
surat
પ્રચાર
ટોપ સ્ટોરીઝ
ધર્મ / હનુમાન દાદા આ 4 રાશિઓને બનાવશે ધનવાન, જન્મોત્સવ બાદ ઉઘડશે ભાગ્ય, રૂપિયે રમશો
Hanuman Jayanti 2024
IPL 2024 / વિરાટ કોહલી અને ગૌતમ ગંભીરના આ 'ગંભીર' વીડિયો પર વિશ્વાસ કરવો મુશ્કેલ, ગ્રાઉન્ડમાં ચર્ચા ખૂબ જામી
Gautam Gambhir
લોકસભા ચૂંટણી 2024 / કોંગ્રેસના ઉમેદવારોને 15 કરોડ આપીને..' VTV સાથેની ખાસ વાતમાં જુઓ શું શું બોલ્યા શક્તિસિંહ
surat
Lok Sabha Election 2024 / હાર્દિક પટેલને ભાજપે જમીન પર લાવી દીધો, એક સમયે હેલિકોપ્ટર લઈ પ્રચારમાં સભાઓ ગજવી હતી
starcampaigners