બ્રેકિંગ ન્યુઝ

logo
logo

RCBvSRH: રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરની 35 રને જીત, RCB 206/7 (20), SRH 171/8 (20)

logo

108 ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે સી આર પાટીલની મુલાકાત, ક્ષત્રિય સમાજનો રોષ માત્ર પરશોત્તમ રૂપાલા સામે છે, ઘણા આગેવાનો રાજકોટ સભા ગયા હતા તે મળવા માટે આવ્યા છે, તેમણે કહ્યું છે કે રોષ ભાજપ સામે કે નરેન્દ્ર મોદી સામે નથી, માત્ર રૂપાલા સામે છે

logo

ક્ષત્રિય સમાજને ફરી અપીલ કરું છે કે તમારી લાગણી દુભાઈ છે ક્ષમા આપવા અમારી વિનંતી છે: સી આર પાટીલ

logo

રાજસ્થાનના જેસલમેરમાં વાયુસેનાનું ટોહી વિમાન ક્રેશ થયું, ઢાણીના જજિયા ગામ પાસે ક્રેશ થયા બાદ વિમાન આગમાં ખાક, ટોહી વિમાન માનવ રહિત વિમાન છે

logo

વધુ એકવાર કચ્છની ધ્રૂજી ધરા, કચ્છના ગઢશીશામાં અનુભવાયો ભૂકંપનો આંચકો, રિક્ટર સ્કેલ પર 2.9ની નોંધાઈ તીવ્રતા, ગઢશીશાથી 27 કિ.મી. દૂર નોંધાયું ભૂકંપનું કેન્દ્રબિંદુ

logo

વડોદરાના હરણી તળાવમાં દુર્ઘટના કેસ: ગુજરાત હાઇકોર્ટે ખાતાકીય અને આર્થિક તપાસના આપ્યા આદેશ, શહેરી વિકાસ વિભાગના પ્રિન્સિપલ સેક્રેટરી કરશે તપાસ ,18 જાન્યુઆરીએ હરણી દુર્ઘટનામાં 12 બાળકો અને 2 શિક્ષકો સહિત 14 લોકોના થયા હતા મોત

VTV / Assembly election 2023 / ગુજરાત / Politics / રાજકોટ / Jairaj Singhs threat AnirudhSingh Jadeja will make a press confrans Gondal seat tomorrow

ઇલેક્શન 2022 / જયરાજસિંહની ધમકી બાદ ગોંડલ બેઠક પર અનિરૂદ્ધસિંહ જાડેજા આવતીકાલે કરશે મોટો ધડાકો, ચિત્ર થઇ જશે સ્પષ્ટ

Kishor

Last Updated: 06:45 PM, 28 November 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ગોંડલ બેઠક પર જયરાજસિંહની ધમકી બાદ અનિરૂદ્ધસિંહ જાડેજા પણ મેદાને આવ્યા છે. આવતીકાલે અનિરુદ્ધસિંહની પ્રેસ કોન્ફરન્સ કરશે જેમાં મોટા ધડાકા, ભડાકાના એંધાણ વર્તાઇ રહ્યા છે.

  • ગોંડલમાં જયરાજસિંહની ધમકી બાદ અનિરુદ્ધસિંહ મેદાનમાં 
  • રિબડાના અનિરૂદ્ધસિંહ જાડેજા કરશે આવતીકાલે પત્રકાર પરિષદ
  • કોંગ્રેસના સમર્થન અંગે આવતીકાલે ચિત્ર થઇ શકે સ્પષ્ટ 

ચુંટણી ટાણે ગુજરાતનું રાજકારણ ગરમાયુ છે.  ગોંડલમાં જયરાજસિંહની ધમકી બાદ અનિરુદ્ધસિંહ મેદાનમાં આવ્યા છે.  જેમાં ગોંડલના દેરજી કુંભાજી ગામમાં અનિરુદ્ધસિંહે સભા યોજી  જયરાજસિંહ વિરુદ્ધ આકરા પ્રહારો કર્યા હતા. ત્યારબાદ હવે રીબડાના અનિરુદ્ધસિંહ જાડેજા દ્વારા આવતીકાલે પત્રકાર પરિષદનું આયોજન કરવામાં આવ્યું છે. જેને લઇને  અનિરુદ્ધસિંહ જાડેજાની 'પ્રેસ' પર સહુની મીટ મડાઈ છે.આ પત્રકાર પરિષદમાં આવતીકાલે કોંગ્રેસના સમર્થન અંગે સ્પષ્ટ ચિત્ર થઇ શકે છે.


ક્ષત્રિય સમાજના બે અગ્રણીઓની ટકરાવ છે ચર્ચામાં  
ગોંડલમાં ટિકિટને લઇને લાગેલી અસંતોષની આગ હજુ પણ ઠરવાનું નામ લેતી નથી. જયરાજસિંહ જાડેજા અને અનિરુદ્ધસિંહ જાડેજા વચ્ચે ભાજપમાંથી ટીકિટની ખેંચતાણ જામી હતી. ત્યારબાદ શ્રત્રિયસમાજના 2 અગ્રણીઓનો ટકરાવ ભારે ચર્ચામાં છે.  ત્યારે ચુંટણી માથે છે. ત્યારે  અનિરૂદ્ધસિંહ કોંગ્રેસને જાહેરમાં સમર્થન આપે તો નવાઇ નહિ!


ગોંડલમાં જયરાજસિંહની ધમકી બાદ અનિરુદ્ધસિંહ મેદાનમાં આવ્યા છે. અનિરુદ્ધસિંહે ગોંડલમાં જયરાજસિંહ વિરુદ્ધ  ગોંડલના દેરજી કુંભાજી ગામમાં સભા સંબોધી હતી. આ દરમિયાન રિબડાના અનિરુદ્ધસિંહ ખુલીને જયરાસિંહનો વિરોધ કર્યો હતો. અનિરુદ્ધસિંહે કોંગ્રેસને મત આપવા આપવા લોકોને હાંકલ કરતા રાજકારણ ગરમાયુ છે. આ સભામાં તેમણે જયરાજસિંહ આકરા પ્રહારો પણ કર્યા હતા. 

અનિરુદ્ધસિંહએ કર્યા આકરા આક્ષેપો 
બંધારણ બચાવો મહાસંમેલનના નેજા હેઠળ સભા યોજાઇ હતી. જેમાં અનિરુદ્ધસિંહએ ખુલ્લેઆમ આક્ષેપ કરતા કહ્યું હતું કે આ પંથકમાં જયરાજસિંહની ગેંગ દલિત પર અત્યાચાર કરી રહી છે. વધુમાં ગોંડલમાં જેલર સામે ખોટો ગુનો દાખલ કરવામાં આવ્યો હોવાનો પણ ઉલ્લેખ કર્યો હતો. ગોંડલની ચૂંટણીમાં અનિરુદ્ધસિંહ અને જયરાજસિંહ સામ સામે થતાં હવે આ લડાઇના ભાજપે માઠા પરીણામ ભોગવવા પડશે કે કેમ તે જોવું રહ્યું ! 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ