એક તરફ વિશ્વમાં કોરોના વાયરસે હાહાકાર મચાવી દીધો છે. ત્યાં બીજી તરફ બ્રાઝીલનાં રાષ્ટ્રપતિએ કોરોના વાયરસને લઈને અજીબ નિવેદન આપ્યું છે. બ્રાઝીલનાં રાષ્ટ્રપતિનું માનવું છે કે કોરોના વાયરસનાં કારણે લોકો તો મરવાના જ છે આ જ જીવન છે. જયારે રોડ પર અકસ્માત થાય ત્યારે આપણે કાર ફેકટરી બંધ નથી કરી દેતા.
બ્રાઝીલનાં રાષ્ટ્રપતિએ આપ્યું ભયાનક નિવેદન
પોતાની જ સરકારનાં આંકડાં પર ભરોસો નથી કરતા જાયર બોલ્સોનારો
બોલ્સોનારોનાં નિવેદનથી વિશ્વભરમાં નિંદા
રાષ્ટ્રપતિ જાયર બોલ્સોનારો અહિયાં જ અટકયા, તેમણે આગળ પોતાની સરકારનાં આંકડાંઓ આશંકા વ્યક્ત કરી અને કહ્યું કે રાજનીતિક હિત માટે આ મામલાને વધુ ચગાવવામાં આવી રહ્યો છે. તેમણે આગળ કહ્યું કે સાઓ પાઉલો રાજયમાં જે કોરોના વાયરસનાં કેસ સામે આવ્યા છે તેના પર તેમને ભરોસો નથી. તેમણે આ બીમારીને એક મામૂલી ફ્લુનો દરજ્જો આપ્યો.
રાષ્ટ્રપતિ બોલસોનારોએ આં બધા નિવેદન શુક્રવારે રાત્રી એક ટીવી ચેનલનાં ઇન્ટરવ્યુમાં આપ્યા છે. તેમણે કહ્યું કે મને માફ કરો પરંતુ અમુક મરશે, મરશે જ...આ જ જીવન છે. નોંધનીય છે કે લેટિન અમેરિકામાં સૌથી વધુ કોઈ જગ્યા કોરોના વાયરસથી પ્રભાવિત થઇ હોય તો તે સાઓ પાઉલો છે. વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઈઝેશન અનુસાર બ્રાઝીલમાં અત્યાર સુધી 92 લોકોનાં મોત થયા છે જેમાંથી 68 મોત સાઓ પાઉલોમાં જ થયા છે. છતાં પણ રાષ્ટ્રપતિએ આવું નિવેદન આપતાં ચકચાર મચી ગઈ છે.
ટીવી ચેનલ પર તેમણે કહ્યું હતું કોરોના વાયરસની આ સંખ્યા સાઓ પાઉલોમાં ખૂબ વધારે છે. મને સાઓ પાઉલોનાં આંકડાં પર વિશ્વાસ જ નથી. નોંધનીય છે કે બ્રાઝીલનાં રાષ્ટ્રપતિ બોલ્સોનારોએ ગુરુવારના રોજ ધાર્મિક ગતિવિધિઓને અતિઆવશ્યક જાહેર કરી દીધી હતી. જોકે બાદમાં કોર્ટ દ્વારા તેના પર રોક લગાવવામાં આવી છે.