રાજસ્થાનમાં એક ગમખ્વાર અકસ્માત સર્જાયો છે. જોધપુર જિલ્લામાં બાલોતરા-ફલોદી નેશનલ હાઇ વે પર એક ટ્રેલર અને ટ્રક વચ્ચે અકસ્માતમાં 11 લોકોનાં મોત નિપજ્યાં છે. જ્યારે આ દૂર્ઘટનામાં અન્ય ત્રણ લોકો ઘાયલ થયા છે. ઇજાગ્રસ્તોને નજીકની હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યાં છે. મૃતકોમાં ચાર પુરૂષ અને છ મહિલા સહિત એક બાળકનો સમાવેશ છે.
રાજસ્થાનમાં ગમખ્વાર અકસ્માત
11 લોકોના મોત
પ્રધાનમંત્રી મોદીએ ટ્વીટ કરી શોક પ્રગટ કર્યો
આ અકસ્માતમાં બાદ રસ્તા પર થોડા સમય માટે ટ્રાફિક જામના દ્રશ્યો સર્જાયા હતા. જો કે દૂર્ઘટનાની જાણ થતાં શેરગઢ પોલીસ ઘટના સ્થળે પહોંચી હતી. ત્યારે ક્રેનની મદદથી બંને વાહનોમાં ફસાયેલા મૃતકો અને ઇજાગ્રસ્તોને બહાર નીકાળવામાં આવ્યાં હતા.
ઇજાગ્રસ્તોને નજીકની સ્થાનિક હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડાયા
જેમાં ઇજાગ્રસ્તોને નજીકની સ્થાનિક હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યાં હતા. દૂર્ઘટના બાદ રેસ્કયુ ઓપરેશન કરવામાં આવ્યું હતું. આ દૂર્ઘટનાના મૃતકમાં એક નવવિવાહિત જોડી હોવાનું સામે આવ્યું છે.
રાજસ્થાનમાં બે અલગ-અલગ રોડ અકસ્માતમાં કુલ 7 લોકોનાં મોત નિપજ્યાં
આ અગાઉ આઠ માર્ચના રોજ રાજસ્થાનમાં બે અલગ-અલગ રોડ અકસ્માતમાં કુલ 7 લોકોનાં મોત નિપજ્યાં હતા જ્યારે અન્ય 32 લોકો ઘાયલ થઇ ગયા હતા. જોધપુર-જયપુર નેશનલ હાઇ વે પર બિવાસ ગામ પાસે એક ટ્રક અને બસમાં થયેલ ટક્કર બાદ બસમાં સવાર બે મહિલાઓ સહિત 4 લોકોનાં મોત નિપજ્યાં હતા અને અન્ય 14 લોકો ઘાયલ થયા હતા. જોધપુર પોલીસે આ અંગેની જાણકારી આપી હતી.