સીએમ અશોક ગહેલોતે રાજ્યવાસીઓને અપીલ કરી છે કે તે લોકડાઉનની જેમ સંયમથી વ્યવહાર કરે.
સીએમે કહ્યુ લોકો લોકડાઉનની જેમ સંયમથી વ્યવહાર કરે
સીએમ અશોક ગહેલોતે આપ્યા આ નિર્દેશ
સીએમએ મેડિકલ સુવિધાઓના વિસ્તારમાં કોઈ કસર નહી છોડવાના નિર્દેશ આપ્યા
સીએમે કહ્યુ લોકો લોકડાઉનની જેમ સંયમથી વ્યવહાર કરે
રાજસ્થાનના મુખ્યમંત્રી અશોક ગહેલોતે મંગળવારે કહ્યું કે કોરોનાની બીજી લહેર ઘણી ખતરનાક છે. તેનાથી રાજ્યવાસીઓની રક્ષા કરવામાં સરકાર કોઈ કમી નથી રાખે. આ સાથે રાજ્યમાં કોરોનાની સ્થિતિ પર સમીક્ષા બેઠકમાં રાજ્યવાસીઓને અપીલ કરી છે કે તે લોકડાઉનની જેમ સંયમથી વ્યવહાર કરે. સીએમની સમીક્ષા બેઠકમાં મેડિકલ એક્સપર્ટે સૂચનો આપ્યા છે કે રાજ્યમાં સામાજિક- ધાર્મિક તથા સાંસ્કૃતિક ગતિવિધિઓને મર્યાદિત કરવા, કર્ફ્યૂના સમયને વધારવા, લગ્ન તથા અન્ય સમારોહમાં લોકોની સંખ્યા ઓછી કરવાની સાથે લોકડાઉનનો સામનો કરવા તથા અસરકાર પગલા ઉઠાવવા જરુરી છે.
સીએમ અશોક ગહેલોતે આપ્યા આ નિર્દેશ
મુખ્યમંત્રી અશોક ગહેલોતને આના પર પ્રમુખ શાસન સચિવ ગૃહ અભય કુમારને નિર્દેશ આપ્યા છે કે તે આ સૂચનોને ધ્યાનમાં રાખી જરુરી ગાઈડલાઈન તૈયાર કરે. તેમણે કહ્યું કે સંક્રમણને રોકવા માટે પગલા ભરવા જરુરી છે. સામાન્ય લોકોને થોડીક સમસ્યા થઈ શકે છે પરંતુ જીવન રક્ષા સર્વોપરિ છે.
મેડિકલ સુવિધાઓના વિસ્તારમાં કોઈ કસર નહી છોડવાના નિર્દેશ આપ્યા
ગહેલોતે કોરોના સંક્રમિત રોગીઓની સંખ્યામાં વધારાને જોતા કોઈ પણ સ્થિતિનું આકલન કરી મેડિકલ સુવિધાઓના વિસ્તારમાં કોઈ કસર નહી છોડવાના નિર્દેશ આપ્યા છે. તેમણે કહ્યુ છે કે ડેડીકેટેડ કોવિડ કેર હોસ્પિટલો, ડે કેર સેન્ટર, પોસ્ટ કોવિડ સેન્ટર. ઓક્સિજન તથા આઈસીયુ બેડ, દવાઓ સહિત અન્ય ચિકિત્સા સુવિધાઓને હજું વધારવામાં આવશે.
અનેક શહેરોમાં નાઈટ કર્ફ્યૂ લગાવી રાખ્યો છે
ઉલ્લેખનીય છે કે કોરોનાના મારથી રાજસ્થાન પણ પરેશાન છે અને આ જ કારણથી ગહેલોત સરકારે રાજ્યમાં અનેક શહેરોમાં નાઈટ કર્ફ્યૂ લગાવી રાખ્યો છે. આ રાતે 10 વાગ્યાથી સવારના 5 વાગ્યા સુધી અમલમાં રહેશે. ઉલ્લેખનીય છે કે સૌથી પહેલા 22 માર્ચથી 8 શહેરોમાં નાઈટ કર્ફ્યૂ લાગુ કરવામાં આવ્યો હતો. જેમાં અજમેર, ભીલવાડા, જયપુર, જોધપુર, કોટા, ઉદેપુર, સાગવાડા અને કુશલગઢ સામેલ હતા. એ બાદ 31 માર્ચે ફરી જારી થઈ ગાઈડલાઈનમાં ચિત્તોડગઢ અને આબુ રોડને પણ આમા સામેલ કરાયા છે. જો કે ધીરે ધીરે આ સંખ્યા વધી રહી છે.