કોંગ્રેસે રાજસ્થાનની રાજધાની જયપુરમાં મંગળવારે યુવા આક્રોશ રેલીનું આયોજન કર્યું. આ રેલીમાં કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ રાહુલ ગાંધી (Rahul Gandhi) એ બેરોજગારી, મોંઘવારી અને કેન્દ્ર સરકારની આર્થિક નીતિઓ અને અર્થવ્યવસ્થાના મુદ્દાઓ પર કેન્દ્ર સરકારને ઘેરી.
કોંગ્રેસે જયપુરમાં મંગળવારે યુવા આક્રોશ રેલીનું આયોજન કર્યું
રાહુલ ગાંધીએ કહ્યું, હિન્દુસ્તાનના યુવા દુનિયાને બદલી શકે છે
ભારતમાં 45 વર્ષની સૌથી મોટી બેરોજગારી છે : રાહુલ ગાંધી
અલ્બર્ટ હોલથી યુવાઓને સંબોધિત કરતા રાહુલ ગાંધી (Rahul Gandhi) એ કહ્યું, આપણી પાસે દુનિયાના સૌથી સારા અને હોશિયાર યુવા છે. હિન્દુસ્તાનના યુવા દુનિયાને બદલી શકે છે, પરંતુ આજનો યુવા બેરોજગારીનો શિકાર છે. ગત વર્ષે એક કરોડ યુવાનોએ રોજગારી ગુમાવી છે.
45 વર્ષમાં આજે સૌથી વધારે બેરોજગારી
રાહુલ ગાંધી (Rahul Gandhi) એ કહ્યું કે, કેન્દ્ર સરકાર યુવાનો પર ધ્યાન આપી રહી નથી. ભારતમાં 45 વર્ષની સૌથી મોટી બેરોજગારી છે. તેઓએ કહ્યું કે, હિન્દુસ્તાનને મેન્યુફેક્ચરિંગ હબ બનાવવા ઇચ્છે છે. રાહુલે આરોપ લગાવતા કહ્યું કે, કેન્દ્ર સરકારે ઘણી યોજનાઓ બંધ કરી.
સરકારને જીએસટી વિશે કંઇ ખબર નથી. જીએસટીથી દેશને મોટુ નુકશાન થયું છે. જીએસટીથી નાના ઉદ્યોગ-ધંધા બંધ થઇ ગયા. રાહુલ ગાંધીએ યુવાનોને આહ્વાન કર્યું કે, તેઓ પોતાની અવાજ બુલંદ કરે. રાહુલ ગાંધી પહેલા સભાની શરૂઆત ડેપ્યુટી સીએમ સચિન પાયલોટ અને મુખ્યમંત્રી અશોક ગેહલોતે યુવાનોને સંબોધિત કર્યું.
રેલી માટે કોંગ્રેસે પોતાની પૂર્ણ તાકાત લગાવી છે. કોંગ્રેસે રેલીમાં આવનારા કાર્યકર્તાઓની હાજરી નોંધવા માટે ક્યૂઆર કોડ યુક્ત સનપેક્ટ શીટ પોસ્ટરની વ્યવસ્થા કરી છે.