રાજસ્થાન વિધાનસભાનું 5મું સત્ર શુક્રવારે 14 ઓગસ્ટના રોજ સવારે 11 વાગે શરુ થશે. જ્યારે આજે વિધાનસભામાં વિશ્વાસનો મત પ્રસ્તાવ લાવી શકાય છે. કાર્યવાહી શરુ થતાની સાથે વિધાનસભા સ્પીકર વિશ્વાસના મત પર વ્યવસ્થા આપી શકે છે. સદનમાં વિશ્વાસના મત પર ચર્ચા બાદ ફ્લોર ટેસ્ટ થઈ શકે છે.
ભાજપ અવિશ્વાસનો મત લાવશે
વિશ્વાસના મત પર ચર્ચા બાદ ફ્લોર ટેસ્ટ થઈ શકે છે
તમામને તથા વાહનોને સેનેટાઈઝ કરવામાં આવશે
જો કે વિધાનસભા સત્રની કાર્યયાદીમાં વિશ્વાસ પ્રસ્તાવનો ઉલ્લેખ કરવામાં આવ્યો નથી. સદનમાં કાલે 8 અધ્યાદેશ અને કોરોનાની સ્થિતિ પર ચર્ચા કરી શકાય છે. ત્યારે સત્તાધારીઓએ જણાવ્યું કે વિધાનસભા સત્રને લઈને કોરોનાને ધ્યાનમાં રાખીને તમામ તૈયારીઓ થઈ ગઈ છે. આ વખતે સભા દરમિયાન દર્શક, વિશિષ્ટ અને અધ્યક્ષ દીર્ઘાના પ્રવેશ પત્ર તૈયાર કરવામાં નહીં આવે. તમામને તથા વાહનોને સેનેટાઈઝ કરવામાં આવશે.
રાજકીય સંકટની વચ્ચે ગુરુવારે સીએમ આવાસમાં કોંગ્રેસી ધારાસભ્યોના દળની બેઠક દરમિયાન ગહેલોતના સમર્થકો હાજર રહ્યા હતા. બેઠકમાં મુખ્યમંત્રી ગહેલોતે કહ્યું કે 19 ધારાસભ્યો વગર વિધાનસભામાં બહુમતિ સાબિત કરી દેતા પણ આનંદ ન થતો. પોતાના એ પોતાના જ હોય છે. કોંગ્રેસ વિધાનસભામાં વિશ્વાસનો મત રજુ કરશે તો સચિન પાયલટે કહ્યું કે તેમણે 6 વર્ષમાં સંપૂર્ણ ઈમાનદારીથી કામ કર્યુ છે. જે કાર્યકર્તાઓએ મહેનતથી સરકાર બનાવી તેમની સંપૂર્ણ અપેક્ષાઓ પર ખરુ ઉતારાયું.
વિધાનસભાના સત્ર પહેલા નેતા પ્રતિક્ષે એક મોટુ નિવેદન આપ્યું હતુ. નેતા ગુલાબચંદ કટારિયાએ કહ્યું કે કાલે શરુ થનારા વિધાનસભા સત્રમાં તેમની પાર્ટી અવિશ્વાસનો પ્રસ્તાવ મૂકશે. આ પહેલા પ્રદેશ ભાજપના અધ્યક્ષ સતીશ પૂનિયાએ મીડિયાની સાથે વાતચીત દરમિયાન કહ્યું હતું કે ગહેલોત સરકાર અંદરના સંકટ સાથે જોડાયેલી છે. જે રીતે ગહેલોત - પાયલટ વિવાદ પુરો થયો છે. તેને દેખતા એવું લાગે છે કે સરકાર વિશ્વાસનો મત લાવી શકે છે. જોકે ભાજપ આ માટે તૈયાર છે. જો આવું થાય તો ભાજપ અવિશ્વાસનો મત લાવશે.