રાજસ્થાનમાં 19 એપ્રિલથી 03 મે સુધી કેટલીક જરુરી છુટ સાથે લોકડાઉન લગાવવામાં આવ્યું છે.
19 એપ્રિલથી 03 મે સુધી લોકડાઉન
સરકારે લોકડાઉનનું નામ આપ્યુ છે ‘જન અનુશાસન પખવાડિયુ’
કેબિનેટ બેઠકમાં મંત્રીઓએ રાજસ્થાનમાં લોકડાઉન લગાવવાની સલાહ આપી
અશોક ગહેલોત સરકારે લોકડાઉનનું નામ આપ્યુ છે ‘જન અનુશાસન પખવાડિયુ’. આ દરમિયાન જરુરી સેવાઓની થોડી તમામ સરકારી ઓફિસો બંધ રહેશે. બજારમાં માલ સિનેમાઘક બંધ રહેશે. હોમ ડિલીવરી માટે છુટ રહેશે. મજૂરોનું પલાયન ન થાય એ માટે કન્સ્ટ્રક્શન વર્ક ચાલુ રહેશે. ઈન્ડસ્ટ્રીઝને લોકડાઉનમાંથી છુટ આપવામાં આવી છે. ઉલ્લેખનીય છે કે આજે સાંજે મુખ્યમંત્રી અશોક ગહેલોતની અધ્યક્ષતામાં થયેલી કેબિનેટ બેઠકમાં મંત્રીઓએ રાજસ્થાનમાં લોકડાઉન લગાવવાની સલાહ આપી હતી. આ બાદ આ નિર્ણય સીએમ પર છોડી દેવામાં આવ્યો હતો.
ગર્ભવતી મહિલાઓ અનેર રોગિઓને સ્વાસ્થ્ય સેવાઓની સલાહ માટે છુટ મળશે.
તમામ ખાનગી હોસ્પિટલો તથા તેની સાથે સંબંધિત કર્મચારીઓની ઓળખ પત્ર દેખાડવા પર ડોક્ટર, નર્સિંગ સ્ટાફ, પેરામેડિકલ અન્ય મેડિકલ સુવિધાઓ ચાલુ રહેશે.
ખાર્ધ પદાર્થો તથા કરિયાણાના સામાન, મંડિયો, ફળ તથા શાકભાજી, ડેરી તથા દૂધ, પશુ ચારાની દુકાનો સાંજે 5 વાગ્યા સુધી ખુલ્લી રહેશે. જ્યાં સુધી શક્ય છે તેમની હોમ ડિલિવરીની વ્યવસ્થા કરવામાં આવશે.
શાકભાજી અને ફળોને સાયકલ રિક્ષા, ઓટો રિક્ષા, હાછ ઠેલા દ્વારા સાંજે 7 વાગ્યા સુધી વેચી શકાશે.
આંતર રાજ્ય અને રાજ્યની અંદરના માલ પરિવહન કરનારા બહારના વાહનોની અવરજવર માલના લોડિંગ તથા અન્ય લોડિંગ અને રાષ્ટ્રિય તથા રાજ્ય માર્ગો પર સંચાલિત ઢાબા, વાહન રિપેરની દુકાનો ખુલ્લી રહેશે.
રવિ પાકની આવક મંડળીઓમાં થઈ રહી છે સમર્થન મૂલ્ય પર ફળોની ખરીદાઈ રહ્યુ છે. એટલા માટે ખેડૂતોને છુટ રહેશે. આ ઉપરાંત મંડી પરિસરની બહાર આવનજાવન સંપૂર્ણ પ્રતિબંધિત છે
ખેડૂતોને મંડીમાં જતા સમયે માલનું સત્યાપન, પાછા જતા સમયે વેચાણનું બિલ અને બિલોની ખરાઈ ફરજિયાત છે.
રાશનની દુકાન કોઈ પણ રજા વગર ચાલુ રહેશે.
45 વર્ષથી વધારે ઉંમરના વર્ગના લોકો રસીકરણ માટે રજિસ્ટ્રેશન કરાવી શકે છે. રસીકરણ સ્થળ જઈ શકે છે. પોતાનું આઈડી કાર્ડ રાખવું ફરજિયાત રહશે.