રેલવે પ્રવાસીઓ માટે ઉત્તર પશ્ચિમ રેલવેથી ફરી એક સારા સમાચાર સામે આવ્યાં છે. તાજેતરમાં રેલવેએ પ્રવાસીઓની સુવિધા માટે લગભગ વધારાના કોચની 100 ટ્રેનો વધારી છે. આ સિવાય કેટલીક નવી ટ્રેનોની શરૂઆત કરી છે.
રેલવેએ પ્રવાસીઓની સુવિધાઓમાં કર્યો વધારો
અજમેર મુંબઈ માટે નવી રેલસેવા શરૂ કરવામાં આવી
આ રૂટ પર પ્રવાસીઓનો ધસારો વધુ રહે છે
આ રૂટ પર પ્રવાસીઓનો વધુ ધસારો
રેલવેના જે રૂટ્સ પર સતત પ્રવાસીઓનું દબાણ વધી રહ્યું છે ત્યાં વધારાના ડબ્બાથી જે કામ ચાલી રહ્યું નથી તેના માટે નવી ટ્રેનોને શરૂ કરાઈ રહી છે. આ દબાણ સૌથી વધુ લાંબા રૂટની રેલવે લાઈનો પર રહે છે. જે સંદર્ભે અજમેર મુંબઈ માટે નવી રેલસેવા શરૂ કરવામાં આવી છે. આ 9 જાન્યુઆરીથી સંચાલિત થશે. રાજસ્થાન સાથે જોડાયેલા લોકોનો રોજગાર અને વ્યાપાર અર્થે મુંબઈ આવવા-જવાનો ક્રમ અન્ય રાજ્યોથી ઘણો વધારે છે. જેના કારણે આ રૂટ પર પ્રવાસીઓનો ધસારો રહે છે. જેને ધ્યાનમાં રાખીને આ ટ્રેનને અજમેરથી શરૂ કરાઈ રહી છે. આ રેલવે દ્વારા કિશનગઢ, જયપુર, સવાઈમાધોપુર, કોટા, રામગંજ મંડી અને ભવાની મંડીના પ્રવાસીઓને પણ લાભ મળશે.
અજમેરથી દર રવિવારે ચાલશે આ ટ્રેન
રેલવે તરફથી શિયાળાની સિઝનમાં વધારાના મુસાફરોના ભારણને ધ્યાનમાં રાખીને પ્રવાસીઓની સુવિધાના હેતુસર અજમેર-બાન્દ્રા ટર્મિનસ-અજમેર સુપરફાસ્ટ સ્પેશિયલ રેલસેવાનું સંચાલન કરાઈ રહ્યું છે. ઉત્તર પશ્ચિમ રેલવેના મુખ્ય જનસંપર્ક અધિકારી કેપ્ટન શશિ કિરણ મુજબ, ટ્રેન નંબર 09621 અજમેર-બાન્દ્રા ટર્મિનસ સુપરફાસ્ટ સ્પેશિયલ ટ્રેન 9 જાન્યુઆરીથી 30 જાન્યુઆરી સુધી દરેક રવિવારે ચાલશે. આ અજમેરથી સવારે 6.35 કલાકે રવાના થઇને બીજા દિવસે સોમવારે 4.15 કલાકે બાન્દ્રા ટર્મિનસ પહોંચશે.
મુંબઈથી દરેક સોમવારે ચાલશે આ ટ્રેન
આ જ રીતે ટ્રેન નંબર 09622 બાન્દ્રા ટર્મિનસ-અજમેર સુપરફાસ્ટ સ્પેશિયલ ટ્રેન 10 જાન્યુઆરીથી 31 જાન્યુઆરી સુધી દરેક સોમવારે બાન્દ્રા ટર્મિનસમાંથી સવારે 11.15 કલાકે રવાના થઇને બીજા દિવસે મંગળવારે 09.10 કલાકે અજમેર પહોંચશે. આ ટ્રેન રસ્તામાં કિશનગઢ, જયપુર, સવાઈમાધોપુર, કોટા, રામગંજ મંડી અને ભવાની મંડી, રતલામ, વડોદરા, સુરત, વાપી અને બોરીવલી સ્ટેશનો પર ઉભી રહેશે.