મહેશ જોશીએ સચિન પાયલટ સહિત 19 ધારાસભ્યોના મામલામાં સુપ્રીમ કોર્ટમાંથી દાખલ વિશેષ અનુમતિ અરજી (SLP) પાછી ખેંચવા માટે અરજી દાખલ કરી છે.
SLP પાછી ખેંચવા માટે અરજી દાખલ કરી છે
ગત વર્ષ સચિન પાયલટ સહિત 19 ધારાસભ્યોએ કર્યો હતો વિદ્રોહ
સ્પીકર સીરી જોશીની SLP યથાવત છે
SLP પાછી ખેંચવા માટે અરજી દાખલ કરી છે
રાજસ્થાનમાં રાજકીય ધમાસાણને કારણે મુખ્યમંત્રી અશોક ગહેલોત અને પૂર્વ પીસીસી ચીફ સચિન પાયલટ ગુટની વચ્ચે ખટરાગ આવ્યો હતો. તેમના સંબંધોને ફરી સરખા કરવા પ્રદેશ પ્રભારી અજય માકનની મોટી ભૂમિકા મનાઈ રહી છે. સરકારના મહેશ જોશીની અરજી પર ગત વર્ષ રાજ્યમાં રાજનીતિક સંકટ ઉભુ થયું હતુ. હવે મહેશ જોશીએ સચિન પાયલટ સહિત 19 ધારાસભ્યોના મામલામાં સુપ્રીમ કોર્ટમાંથી દાખલ વિશેષ અનુમતિ અરજી (SLP) પાછી ખેંચવા માટે અરજી દાખલ કરી છે.
ગત વર્ષ સચિન પાયલટ સહિત 19 ધારાસભ્યોએ કર્યો હતો વિદ્રોહ
ગત વર્ષ સચિન પાયલટ સહિત 19 ધારાસભ્યોની બગાવત બાદ મુખ્ય સચેતક મહેશ જોશીનએ 13 જુલાઈ 2020એ વિધાનસભા અધ્યક્ષ ડો. સીપી જોશી સમક્ષ એક અરજી દાખલ કરતા તમામ ધારાસભ્યો પર પાર્ટી વ્હિપના ઉલંઘનનો આરોપ લગાવ્યો હતો. આના પર સ્પીકરે 16 જુલાઈએ તમામ ધારાસભ્યોને નોટિસ જારી કરી જવાબ માંગ્યો હતો. પરંતુ પાયલટ ગ્રુપે સ્પીકરની સમક્ષ હાજર ન થઈને નોટિસને જ હાઈકોર્ટમાં પડકારી હતી. આના પર હાઈકોર્ટની ખંડપીઠે 24 જુલાઈએ સ્પીકરને યથા સ્થિતિ બનાવવી રાખવા આદેશ આપ્યો હતો.
સ્પીકર નહીં લે SLP પાછી
હાઈકોર્ટના નિર્ણયની વિરુદ્ધ સ્પીકર સીપી જોશી અને ચીફ વ્હીપ મહેશ જોશીએ સુપ્રીમ કોર્ટમાં એસએલપી દાખલ કરી હતી. આના પર સુપ્રીમ કોર્ટે નોટિસ જારી કરી તમામ પક્ષો પાસેથી જવાબ માંગ્યો હતો . આ દરમિયાન મહેશ જોશીએ એસએલપી પાછી લેવાની અરજી દાખલ કરી હતી. પરંતુ હજું પણ સ્પીકર સીરી જોશીની SLP યથાવત છે. સ્પીકરે અધિવક્તા પ્રતીક કાસલીવાલે કહ્યું કે હાઈ કોર્ટના આદેશથી સ્પીકરના અધિકારોમાં હસ્તક્ષેપ થયો છે. આ એક સંવૈધાનિક પ્રશ્ન છે. આને સુપ્રીમ કોર્ટે નક્કી કરવાનું છે. અમે SLP પાછી નહીં લઈએ.
SLP પાછી લેવાનું રાજકીય મહત્વ
આ દરમિયાન સચિન પાયલટ જૂથ અને સરકારની સુલેહ થઈ ગઈ છે. 14 ઓગસ્ટ 2020ને સરકારે વિધાનસભમાં વિશ્વાસમત મેળવી લીધો. પરંતુ મામલો સુપ્રીમ કોર્ટમાં લંબિત ચલાવી રહ્યો હતો. આનાથી સરકાર પર અનેક પ્રકારના સવાલ ઉઠી રહ્યા હતા. જાણકારોનું કહેવું છે કે પ્રદેશ પ્રભારી અજય માકનના કહેવા પર એસએલપી પાછી લેવાની અરજી દાખલ કરવામાં આવી છે.