રાજસ્થાનના બિકાનેર અને તેની આસપાસના વિસ્તારોમાં રવિવારે ભૂકંપના મોટા આંચકા અનુભવાયા હતા. ભૂકંપની તિવ્રતા રિક્ટર સ્કેલ પર 4.5 માપવામાં આવી છે. આંચકાનો અહેસાસ થતાં જ લોકો ઘરની બહાર દોડી આવ્યા હતા અને રસ્તા પર ભીડ જમા થઇ ગઇ હતી. આ ઘટનાને પગલે અફરા-તફરીનો માહોલ જોવા મળ્યો છે. ભૂકંપનું કેન્દ્ર જમીનથી 10 કિલોમીટર નીચે બતાવવામાં આવી રહ્યું છે.
રાજસ્થાનના બિકાનેર સહિત આસપાસના વિસ્તારોમાં ભૂંકપ
તિવ્રતા રિક્ટર સ્કેલ પર 4.5 માપવામાં આવી
કોઇ જાનહાની નહીં
ખજુવાલા, સટ્ટાસર, છત્તીસઢ, કાલાસર અને નુરસરના બિકાનેર સહિતના ઘણા વિસ્તારોમાં ભૂકંપના આંચકા અનુભવાયા હતા. ભૂકંપ પછી, લોકોએ તેમના નજીકના અને લોકોને ફોન કરીને ખબર-અંતર પૂછ્યા હતા. પ્રશાસને લોકોને અફવાઓને અવગણવા જણાવ્યું છે. ગયા મહિને જ રાજસ્થાનના ઝુનઝુનુ જિલ્લામાં ભૂકંપના આંચકા અનુભવાયા હતા, જેની તીવ્રતા 8.8 ની તીવ્રતા સાથે હતી.
POK સહિત POK આવ્યો હતો વિનાશકારી ભૂંકપ
Rajasthan: An earthquake with a magnitude of 4.5 on the Richter Scale hit Bikaner today at 10:36 am.
ગત મહીને POK માં વિનાશકારી ભૂંકપે દસ્તક આપી હતી. જેમાં 38 લોકોએ જીવ ગુમાવ્યા હતા જ્યારે 452 લોકો ઘાયલ થયાં હોવાના અહેવાલ છે. 5.8ની તીવ્રતાના આ ભૂકંપનું કેન્દ્ર મીરપુર શહેરની નજીક સપાટીથી 10 કિલોમીટર નીચે હતું. ભૂંકપના આંચકા 8-10 સેકન્ડ સુધી ઇસ્લામાબાદ, પેશાવર, રાવલપિંડી અને લાહોરના મુખ્ય શહેરો સહિત સમગ્ર પાકિસ્તાનમાં અનુભવાયા હતા.
ઇન્ડોનેશિયામાં ભૂકંપ
ઉલ્લેખનીય છે કે, ગત મહિને જ ઇન્ડોનેશિયાના માલુકુ દ્વીપમાં ભૂકંપના આંચકા અનુભવાયા હતા. જેમાં 30 લોકોના મોત નિપજ્યા હતા. એટલું જ નહીં આશરે 25 હજાર લોકોએ પોતાના ઘર છોડવાની ફરજ પડી હતી. ભૂકંપની તીવ્રતા એટલી હતી કે મોટી ઇમારતોને નુકસાન પહોંચ્યું હતું ને કેટલીક ઇમારતો તૂટી પડી હતી.
શા માટે અનુભવાયા છે ભૂકંપ
પૃથ્વી (Earth) તેની ધરી પર 1,670 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપથી ફરે છે. તમે ક્યારેય વિચાર્યું છે કે, જો પૃથ્વી તેની પોતાની ધરી પર ફરવાનું બંધ કરે તો તેનું પરિણામ શું આવશે? વૈજ્ઞાનિકોના જણાવ્યા અનુસાર, જો આ દુર્ઘટના સર્જાશે તો તેના કારણે પૃથ્વીનું જીવન સંકટમાં મૂકાશે.
નાસાના વૈજ્ઞાનિકો કહે છે કે, પૃથ્વીની તેની ધરી પર પરિભ્રમણની ગતિ ધીમી પડી રહી છે, જેના કારણે ચંદ્ર ધીમે ધીમે તેનાથી દૂર જઇ રહ્યો છે. વૈજ્ઞાનિકોએ ચેતવણી આપી છે કે, આ ઘટના મોટા અને ભયાનક તીવ્રતાના ભુકંપ (Earthquake) નું કારણ બની શકે છે. શું કહે છે વૈજ્ઞાનિકોનો આ ચોંકાવનારો અહેવાલ એ જાણીએ.
નાસાની જેટ પ્રોપલ્શન લેબોરેટરીના સૉલર સિસ્ટમના એમ્બેસેડર મેથ્યુ ફૂન્કેના જણાવ્યા મુજબ, ચંદ્રનું ગુરુત્વાકર્ષણ પૃથ્વી પર ભરતીનો ઉભાર બનાવે છે. આ ઉભાર પણ પૃથ્વીની પરિભ્રમણ ગતિથી ફરવાનો પ્રયાસ કરે છે. તેનાથી પૃથ્વીના પોતાની ધરી પર પરિભ્રમણ કરવાની ગતિ ધીમી પડે છે.