રાજસ્થાન હોઈકોર્ટના મુખ્ય ન્યાયાધીશ CJ ઈન્દ્રજીત માહન્તી કોરોના પોઝિટિવ આવ્યા છે. સીજેના કોરોના હોવાની પુષ્ટિ થયા બાદ હાઈકોર્ટે એ તમામ લોકોને તેમના ટેસ્ટ કરાવવાની અપીલ કરી છે જેઓએ શનિવારે સીજેની સાથે સ્વતંત્રતા દિવસ સમારોહમાં હાજર રહ્યા હતા. સીજેએ શનિવારે હાઈકોર્ટ અને પછી સેશનકોર્ટમાં ધ્વજવંદન કર્યું અને ત્યારબાદ વૃક્ષારોપણ પણ કર્યું. મુખ્ય ન્યાયાધીશના કોરોના પોઝિટિવ આવ્યા બાદ હાઈકોર્ટમાં રવિવારે 11થી 2 વાગ્યા સુધીમાં સેમ્પલ લેવાશે.
રાજસ્થાન હાઈકોર્ટના CJ કોરોના પોઝિટિવ
શનિવારે ધ્વજવંદન અને વૃક્ષારોપણ પણ કર્યું
આજે સાથી કર્મચારીઓના સેમ્પલ લેવાશે
હાઈકોર્ટ બારે એ તમામ લોકોને અપીલ કરી છે કે જેઓએ સીજેની સાથે ધ્વજવંદન કર્યું હતું તે તમામ તેમનો રિપોર્ટ કરાવે. જયપુરના દરેક ન્યાયાધીશ, એજી, બાર અધ્યક્ષ, મહાસચિવ સહિત અનેક અધિવક્તાઓ અને કર્મચારીઓએ ભાગ લીધો હતો. જ્યારે સેશન કોર્ટમાં આયોજિત સમારોહમાં પણ CJ માહન્તીની સાથે જસ્ટિસ સબીના, જસ્ટિસ સતીશ કુમાર વર્મા સામેલ થયા હતા.
સેમ્પલ આપ્યા બાદ સમારોહમાં ભાગ લીધો તે ચર્ચાનો વિષય
CJ ઈન્દ્રજીત માહન્તીના સેમ્પલ શુક્રવારે લેવાયા હતા. હાઈકોર્ટના પાંચ કર્મચારી કોરોના પોઝિટિવ આવ્યા હતા. ઉલ્લેખનીય છે કે તેમાંથી 2 તેમની જ કોર્ટના હતા. ત્યારબાદ શુક્રવારે તેમનું સેમ્પલ લેવાયું. તેમાનામાં કોરોનાના લક્ષણ નથી પણ રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. રિપોર્ટ માટે સેમ્પલ આપ્યા બાદ તેમનું સમારોહમાં ભાગ લેવું એ ચર્ચાનો વિષય બન્યો છે. સમારોહમાં તેઓએ માસ્ક પણ પહેર્યું ન હતું તે પણ ચર્ચાનો વિષય બન્યો છે.
I have come to know Chief Justice of #Rajasthan High Court, Sh. Indrajit Mahanty has tested positive for #Covid_19...concerned about his health. Wish him a speedy recovery.
સીજે માહન્તીના કોરોના પોઝિટિવ હોવાની પુષ્ટિ થયા બાદ સીએમ અશોક ગેહલોતે ટ્વિટ કરીને તેમના જલ્દી સ્વસ્થ થવાની કામના કરી છે. મુખ્યમંત્રીએ ટ્વિટ કરીને કહ્યું કે સીજે માહન્તીના પોઝિટિવ હોવાની જાણકારી મળી. તેમના સ્વાસ્થ્યને લઈને ચિંતિત છું. તેમના જલ્દી સાજા થવાની કામના કરું છું.