રાજસ્થાન ભાજપમાં ગ્રુપીજીમને લઈને થઈ રહેલા ઘમાસાણમાં નવો વળાંક આવ્યો છે. ટીમ વસુંધરા બાદ હવે સોશિયલ મીડિયામાં ટીમ સતીશ પૂનિયાનો પત્ર વાયરલ થઈ રહ્યો છે. આ વાયરલ પત્રમાં જુગલ કિશોર શર્માને આ મોર્ચાના પ્રદેશ અધ્યક્ષ ગણાવવામાં આવી રહ્યા છે. વાયરલ પત્રમાં પ્રદેશ પ્રભારી, સચિવ, મીડિયા અને ઉપાધ્યક્ષના પદોની નિયુક્તિઓને દર્શાવવામાં આવી છે. નિયુક્તિ પત્રમાં ભાજપના પ્રદેશ અધ્યક્ષ સતીશ પુનિયાનો ફોટો લાગેલો છે.
પૂનિયાએ કરી સ્પષ્ટતા કહ્યું આ સોશિયલ મીડિયાનું કારસ્તાન
ભાજપના પ્રદેશ અધ્યક્ષ સતીશ પૂનિયાએ આને સોશિયલ મીડિયાનું કરતુત ગણાવતા આને ફગાવી દીધું છે. તેમણે મામલાની તપાસ કરવાની સાથે કાયદાની સલાહ લેવાની વાત કરી છે. બીજી તરફ ભાજપમાં થઈ રહેલી બબાલમાં હવે કોંગ્રેસને હુમલો કરવાની તક મળી છે.
પૂર્વ સીએમ વસુંધરા રાજે મોર્ચાનો પત્ર થયો વાયરલ
રાજ્ય ભાજપમાં આ દિવસોમાં 2 મોટા નેતાઓને સમર્થતોના સોશિયલ મીડિયા પર પેજ બનાવવા બાદ બીજી કડી તરીકે પાર્ટીના તર્જ પર કાર્યકારિણી ગઠિત કરવાના પત્ર સોશિયલ મીડિયામાં વાયરસ થઈ રહ્યા છે. પહેલા પૂર્વ મુખ્યમંત્રી વસુંધરા રાજેને સમર્થકોને જિલેવાર કાર્યકારિણી જાહેર કરી તેમને 2023માં પ્રદેશના મુખ્યમંત્રી બનાવવાનું લક્ષ્ય રાખ્યું છે. હવે આ જ રીતે એક તરફ પત્ર સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. જેમાં પ્રદેશ અધ્યક્ષ સતીશ પૂનિયાના નામથી સતીશ પૂનિયા સમર્થક મોર્ચો સામે આવ્યો છે.
આ મોર્ચાના પ્રદેશ અધ્યક્ષ જુગલ કિશોર શર્માએ જણાવ્યું છે કે એટલું જ નહીં સતીશ પૂનિયા સમર્થક મોર્ચામાં 2 પ્રદેશ ઉપાધ્યક્ષ પણ બનાવવામાં આવ્યા છે. 2 પ્રદેશ પ્રભારી, એક પ્રદેશ સચિવ અને એક મીડિયા પ્રભારી છે. પ્રદેશ સંયોજકના રુપમાં વિનીતા ચતુર્વેદીનું નામ સામે આવ્યું ચે. આ પત્રમાં બકાયદા ક્રમાંક અને દિનાંક પણ આપવામાં આવ્યા છે. આ પત્ર 12 નવેમ્બર 2020નો ગણાવવામાં આવી રહ્યો છે. આ વાયરલ પત્રમાં સતીશ પુનિયાનો ફોટો લગાવવામાં આવ્યો છે. જેમાં પુનિયાના સમર્થક મોર્ચાને વર્ષ 2023માં થનારી વિધાનસભા ચૂંટણીમાં સતીશ પૂનિયાને મુખ્યમંત્રી બનાવવાનો ઉદ્દેશય ગણાવવામાં આવ્યું છે.
પૂનિયાએ કરી આ સ્પષ્ટતા
સતીશ પૂનિયા સમર્થક મોર્ચાનો પત્ર વાયરલ થવાના મામલામાં સતીશ પૂનિયાએ પોતાની તરફથી સફાઈમાં કહ્યું તે રાજનીતિમાં કામ કરતા અનેક વાર અનેક અજુબા થાય છે. તેમણે કહ્યું કે તેમણે મારા નામથી સમર્થક મોર્ચો બનાવ્યો છે તે લોકો કોણ છે તે હજું જાણી શકાયું નથી. તે મારા ઓળખિતા નથી. તે આ પ્રકારના મોર્ચાના પક્ષમાં પણ નથી. કેમ કે પાર્ટીમાં અમે લોકો મોટા બેનરની નીચે કામ કરીએ છીએ. મોદીનું વ્યક્તિત્વ, ભાજપનો ઝંડો અને કમળ ચૂંટણી ચિન્હ પોતામાં જ પુરતા છે. તેવામાં મને કોઈ સમર્થક મંચની જરુર નથી. સમર્થક મોર્ચાના નામથી જે બેનર બનાવવામાં આવ્યું છે તેની તપાસ કરવામાં આવી રહી છે. આ સોશિયલ મીડિયાનું કારસ્તાન છે.