સુરતમાં જૈન ઉપાશ્રયમાં સાધ્વિની છેડતીનો એક બનાવ સામે આવતા જૈન સમાજમાં ભારે રોષ જોવા મળ્યો છે. ગૌપીપુરા ઉપાશ્રયમાં રાત્રીના સમયે અજાણ્યા શખ્સ દ્વારા છેડતી કરતા જૈન સમાજ સહિત મોટી સંખ્યામાં સાધ્વીઓ આ ઘટનાની ભારે નિંદા કરી છે.
આ ઘટના મામલે મળતી વિગત મુજબ સુરત શહેરના ગોપીપુરા વિસ્તારમાં 20 થી વધુ જૈન સાધ્વીજી ઉપાશ્રયમાં આવ્યાં છે. આ દરમિયાન બેસતા વર્ષની મોડી રાતેના ગોપીપુરામાં આગમ દેરાસર નજીક આવેલા ઉપાશ્રયમાં એક અજાણ્યો શખ્સ ઘૂસ્યો હતો.
તેણે સૂતેલા સાધ્વીજીના કપડાં ખેંચવાનો પ્રયાસ કર્યો હતો. જો કે આ સમયે અચાનક સાધ્વીજી જાગી જતાં તેમણે જોર-જોરથી ચીસો પાડવા લાગતા તે શખ્સ ભાગી છૂટ્યો હતો.
#Surat માં રાત્રીના સમય જૈન ઉપાશ્રયમા છેડતી ગૌપીપુરામાં ઉપાશ્રયમાં સાધ્વીની છેડતી
રાત્રિના સમય અજાણ્ય શખ્સો છેડતી કરી ઉપાશ્રય બહાર એકઠા થયા સાધ્વી
જૈન સમાજમાં ભારે રોષ જોવા મળ્યો#Crime@GujaratPolicepic.twitter.com/YkLkWTiLTb
આ ઘટના અંગેની જાણકારી નજીકના પોલીસ મથકે કરવામાં આવતા પોલીસે શરૂઆતમાં ફરિયાદ નોંધી નહોંતી અંતે કેટલાક જૈન અગ્રણીઓએ ઉચ્ચ પોલીસ અધિકારીને કરતા પોલીસ કાફલો ઘટના સ્થળે આવી પહોંચ્યો હતો અને તપાસ હાથ ધરી હતી. જો કે આ ઘટનાને લઇને જૈન સમાજમાં રોષની લાગણી જોવા મળી હતી. સાથો-સાથ તાત્કાલિક અસરથી આ પ્રકારની હરકત કરનારને દબોચી લેવા જૈન અગ્રણીઓએ માગ કરી હતી.